SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૮- ખમાસમણના-૧૪-દુહાઓ અર્થ સાથે કરીને શિવપુરમાં પહોંચ્યા છે. તેથી તે તીર્થેશ્વરને પ્રણામ કરો. જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થમાંહે ઉકિw. – ખ – ૬૦ – જગતના સર્વે તીર્થોને જોતાં આના સમાન બીજું એક્ય તીર્થ નથી. તેથી આ તીર્થ સર્વતીર્થોમાં ઉત્કૃષ્ટ ચઢિ યાતું છે. તે તીર્થેશ્વરને પ્રણામ કરો. ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માટે સારી તે તીર્થેશ્વર પ્રણમિય, જનપદમાં શિરદાર; - ખ – ૬૧ - જગતનાં બધા દેશોમાં આ સોરઠ (સૌરાષ્ટ્ર)ને ધન્યવાદ છે. કારણ કે સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ એવું શત્રુંજય તીર્થ જેમાં આવેલું છે. આ તીર્થનો મહિમા જગતના દેશોમાં શિરદાર– મુખ્ય છે. આવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ. અહોનિશ આવત હૂંફડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધુ રંગ. – ખ – ૬૨ - આ તીર્થના ઉત્તમપણાને લીધે પ્રાણીઓ જેની નજીક આવે છે. અને એની સાનિધ્યતામાં રહીને આરાધના કરીને શિવવધૂના રંગ – આનંદની પ્રાપ્તિ કરે છે તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ, તે તીર્થધ્વર પ્રણમિયે પામ્યા નિર્મલ બુદ્ધ.. - ખ - ૬૩ - જે પ્રાણીઓએ તીર્થંકર પરમાત્માની આજ્ઞાનો ભંગ ક્ય હોય તેવા વિરાધક આત્માઓ પણ આ તીર્થના પ્રભાવે વિશુદ્ધ થઈને નિર્મલ બુદ્ધિ પામ્યા છે. તે તીર્થસ્વરને હે ભવિ જીવો ! તમે પ્રણામ કરો. મહામ્લેચ્છ શાસનરિપુ તે પણ હુવા ઉપશાંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખી અનંત; - ખ – ૬૪ – જેઓ મહાપ્લેચ્છ અને શાસનના શત્રુ હતા તેઓ પણ આ ગિરિરાજનો અનંત પ્રભાવ જોઈને શાંત સ્વભાવ વાળા થઈ ગયા છે. એવા પરમપ્રભાવક તીર્થેશ્વરને પ્રણામ કરે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy