SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજનાં-૧૮- ખમાસમણના-૧૮-દુહાઓ અર્થ સાથે યોગીસર – જસ દર્શને, ઘ્યાને સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હુઆ અનુભવ રસલીન. -ખ. ૨૦– ૫૩ પરમ-પવિત્ર ગિરિરાજનાં દર્શન થવા માત્રથી યોગીઓ સમાધિમાં લીન થઇ જાય છે અને આત્માના અનુભવ રસમાં મસ્ત થઇ જાય છે. તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરો. માનુ ગગને સૂર્ય – શશી – દીયે પ્રદક્ષિણા નિત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત. -ખ.—૨૧ કવિ ક્લ્પના કરે છે કે આ સૂર્ય ચંદ્ર જે આકાશમાં હંમેશાં ભ્રમણ કરે છે. તે પ્રકાશ આપવા માટે નથી કરતા પણ આ ગિરિરાજના મહિમાને જોવા માટે ફરે છે. તેવા તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે પ્રણામ કરો. સુર–અસુર નર–ક્ત્તિરા, રહે છે જેહની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે – પામે લીવિલાસ. -ખ..—રર– દેવતાઓ – દાનવો – મનુષ્યો અને કિન્નરો કાયમ માટે આ તીર્થની સાન્નિધ્યમાં રહે છે. કારણ કે તેઓ એમ – માને છે કે આ ગિરિરાજની નિશ્રામાં રહેવાથી આપણને લીલવિલાસ મળશે. તે તીર્થેશ્વરને પ્રણામ કરો. મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કુમતિ ાગ્રહ મેટ; -.-૨૩ જે તીર્થની મૃત્તિકા – માટી પરમપવિત્ર અને મંગલને કરનારી છે આથી દેવને પણ તે ભેટ ધરાય છે. કારણ કે જેના પ્રભાવથી ખરાબ બુદ્ધિ અને ક્દાગ્રહનો નાશ થાય છે. તે તીર્થરાજને હે ભાગ્યશાળી ! નમસ્કાર કરો. કુમતિ કૌશિક જેહને – દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. -ખ.-૨૪ જે તીર્થને દેખીને ખોટી બુદ્ધિવાલા જેઓ ઘુવડના જેવા છે. તેઓ પણ ઝાંખા પડી જાય છે. અને પછી તે તીર્થના મહિમાને ગાય છે. આવા તીર્થરાજને હે પુણ્યવાનો ! તમે નમસ્કાર કરો. સૂરજકુંડના નીરથી, આધિ – વ્યાધિ પલાય;
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy