SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર | | | | | | | | | | | | | | | | - - 1 | - - | - - | - - 3 L - - - - - - - - a di - - SS શ્રી શત્રુંજયનું સ્તોત્ર ભણવામાં તચક રાજાની કથા ' - IN H T T 1 - 1 1111111111 GIGI - TIT - - - 1 - - - - - - T ITT III III IIIIIIII દંતનામના નગરમાં ચકરાજાની પ્રીતિમતી પત્ની શુદ્ધશીલરૂપી માણિક્યનું ઘર હતી. રાજા ન્યાયમાર્ગવડે હંમેશાં પૃથ્વીનું તેવી રીતે પાલન કરતો હતો કે જેથી જનતા હંમેશાં સુખી હતી. કહ્યું છે કે :- જો રાજા ધર્મી હોય તો પ્રજા ધર્મિષ્ટ થાય. રાજા પાપી હોય તો પ્રજા પાપિષ્ટ થાય. પ્રજા રાજાને અનુસરે છે. જેવો રાજા હોય તેવી પ્રજા થાય. એક વખત પ્રીતિમતી પ્રિયાને હાથીના દાંતવડે ઋષભદેવ પાબુનો પ્રસાદ કરવાનો દેહદ થયો. રાજાવડે હાથીના દાંત લાવવા માટે ભિલ્લો આદેશ કરાયા. તેઓ દ્રવ્ય લઈને વનમાં આવ્યા. બીજા કોઈ મનુષ્યો વગેરેએ દાંત લેવા નહીં. જે વચ્ચે લેશે તેને દંડ કરાશે. આ બાજુ તે નગરમાં સોમમિત્રને કમલા અને રમા નામની સ્ત્રીઓ લક્ષ્મીવડે રતિ ને પ્રીતિ સરખી હતી. એક વખત રમાએ કહ્યું કે તું રૂપથી ગર્વિક કેમ થઈ છે? જેમ પ્રીતિમતીનું ઘર હાથીદાંતવડે કરાય છે. તેવી રીતે તારું ઘર હાથી દાંત વડે કરાશે? કમલાએ કહ્યું કે તારી વાણી સાચી રાશે. પત્નીને કૃશ જોઈને તે બોલ્યો કે હે કમલા ! તું કૃશ. કેમ થઈ? કમલાએ પોતાનું ચિંતવેલું સર્વ પતિ આગળ કહ્યું. ચંદ્રમિત્ર નામના મિત્રવડે દુઃખનું કારણ પુછાયેલા સોમમિત્રે પોતાની પત્નીનો સર્વ દેહદ કહ્યો. ચંદ્રમિત્ર ભિલ્લને યોગ્ય મણિકા (મણકા), અલતા આદિ લઈને દાંત લાવવા માટે જંગલમાં ગયો. ઘાસના પૂળાની અંદર હાથીના દાંતો ગુપ્તપણે નાંખીને રથમાં રહેલો ચંદ્રમિત્ર જ્યારે નગરના દરવાજામાં આવ્યો ત્યારે ગાયે ખેચેલા ઘાસના પૂળામાંથી નીકળેલા હાથીના દાંતોને જોઈને રાજાના સેવકો તે વખતે તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ ચંદ્રમિત્રને અન્યાયી જાણીને તે વખતે રોષથી કહ્યું કે હમણાં આને ચોરદંડ રાઓ, તે વખતે રાજાની પાસે આવીને ભક્તિ વડે રાજાનાં બે ચરણો નમીને કહ્યું કે હે સ્વામી ! મારા વડે અન્યાય કરાયો છે. મારી ઉપર ક્ષમા કરો. તે વખતે ત્યાં સામમિત્રે પિયાનું હૃદયમાં ચિંતવેલું જ્યારે રાજાની આગળ કહ્યું ત્યારે રાજાએ તેને દાંત આપ્યા. તે વખતે નમન કરેલા એવા તેને જાણીને ફરીથી સોમચંદ્ર કહ્યું હવે પછી તારે રાજાની વિરુદ્ધ ન કરવું ચંદ્ર મિત્ર રાજાએ કહેલું સ્વીકાર કરીને તે વખતે જલદી રાજાથી સન્માન કરાયેલો સોમમિત્રની પાસે ગયો. તે વખતે હાથીના દાંતવડે દાંતનું ઘર કરવાથી મિત્રવડે સોમમિત્રની પત્નીનો મનોરથ પૂર્ણ કરાયો. રાજાએ હાથીના દાંતવડે શ્રી ષભદેવ અરિહંતનું મંદિર કરવાથી તે ક્ષણે તે વખતે પત્નીનો દોહદ પૂર્ણ કર્યો. તે વખતે ત્યાં પૃથ્વીતલઉપર વિહાર કરતાં ભવ્ય જીવોને અરિહંતના મતમાં પ્રબોધ કરવા માટે ક્લાચાર્ય આવ્યા. તે વખતે સોમમિત્ર પોતાના મિત્રની સાથે અને બને પત્ની સહિત શ્રી ગુરુપાસે ધર્મ સાંભળવા માટે ગયો. ગુરુએ કહ્યું કે હંમેશાં થોડે પણ કરાયેલો ધર્મ અનુક્રમે ભવ્ય પ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષ આદિરૂપ થાય છે. જે જીવ ભક્તિથી શ્રી શત્રુંજયતીર્થનું સ્તવન-સ્તોત્ર ભણે છે તેને થોડા ભવોવડે નિચે મોક્ષનું સુખ થાય છે. આ પ્રમાણે
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy