SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતા સરોવર અને અનુપમા સરોવરનો સંબંધ ૫૫૭. પતિએ હર્ષથી જન્મ સફળ ર્યો. | મારા પતિએ ધર્મને માટે ૮૪ ધર્મશાળાઓ હર્ષવડે કરાવી. T મારા પતિએ પાંચસો હાથીદાંતનાં સિંહાસન ગુરુને બેસવા માટે ઉત્તમ ભાવથી કરાવ્યાં, મારા પતિએ હાથીદાંત ને રેશમી વસવાલાં પાંચસો ઉત્તમ સમવસરણો કરાવ્યાં, 0 મારા પતિએ સ્તંભન તીર્થ (ખંભાત)માં, દેવપુરીમાં ને ભચમાં અઢાર કોડ દ્રવ્ય ભાવથી વાપર્યું. | મારા પતિએ અસંખ્ય કોડ ઉત્તમ શાસ્ત્રના શ્લોકો ઘણું દ્રવ્ય આપીને લખાવ્યા T મારા પતિએ જૈન ધર્મને કરતા એક્વીશ આચાર્યનાં પગલાં ઘણા દ્રવ્યનો વ્યય કરી કરાવ્યાં. | દર વર્ષે ચાર સંઘવાત્સલ્ય અને ગુરુપૂજન કરતા મારા પતિ ત્રણે સંધ્યાએ જિનેશ્વરની પૂજા કરે છે. | હંમેશાં બે વાર પ્રતિક્રમણ ને ગુરુ વિષે સંવિભાગને કરતા યાચકોને આદરથી યથોચિત દાન આપે છે. [ રાજાના ચિત્તને પ્રસન્ન કરવા માટે બે હજાર (ર૦) શંકરનાં મંદિરો મારા પતિએ કરાવ્યાં, D શંકરનાં ઘણાં લિંગો ઘણી બ્રમશાળાઓ અને તપસ્વીઓના સાતસો મો કરાવ્યાં, | મારા પતિએ સાતસો દાન શાળાઓ અને શ્રેષ્ઠ ૪૪ વાવો કરાવી, D મારા પતિએ પથ્થરથી બાંધેલા ૮૪ અદભુત સરોવરો, નવસો ક્લાઓ અને પરબો કરાવ્યા. T બ્રાહ્મણો અને ભિખારીઓને હંમેશાં દાન આપે છે, અને ઉત્તમ સાધુઓને શુદ્ધ અન્ન પડિલાલે (વહેરાવે) | મારા પતિએ પ્રૌઢ પથ્થરના મોટા ૩ર ક્લિાઓ કરાવ્યા, ને ચોસઠ સુંદર મસીદ્ય કરાવી છે. ત્રણ લાખ સોનામહોરવડે શ્રી સિદ્ધગિરિમાં શ્રેષ્ઠ તોરણ કરાવ્યું કે મક્કામાં કરણીસહિત તોરણ કરાવ્યું. એ ત્રણ લાખ સોનામહોરવડે સ્તંભન તીર્થમાં ઊંચું સમવસરણ કરાવ્યું ને છત્રીસ યુદ્ધમાં મારા પતિને સિદ્ધિ થઈ છે. પૃથ્વી તેમને પગલે પગલે સારા પુણ્યથી નિધાન આપે છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy