SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય નામ પાડનાર - શુક રાજાની કથા નથી. તે ફક્ત પોતાના આત્માને જ તારે છે. એ પ્રમાણે સાંભળીને છોડી દીધો છે ક્રોધ જેણે એવો રાજા પુત્ર ચંદાંક સહિત પોતાની નગરીના બાહાઉદ્યાનમાં આવીને વ્રતની ઇચ્છાવડે રહયો.રાજાને વ્રતની ઇચ્છાવાલા જાણીને મંત્રીઓએ ત્યાં આવીને કહ્યું કે પુત્રને રાજય આપીને તમારે સંયમ ગ્રહણ કરવો. રાજાએ કહયું કે આ શરીર વગેરે કાંઈ મારું નથી, જેથી સૂર્યોદય થશે ત્યારે ગુરુ પાસે જઈને સંયમ ગ્રહણ કરીશ. સંયમગ્રહણ કરવાની ઈચ્છાવાલા, બાહય ઉદ્યાનમાં રહેલા, ઉત્તમચિત્તવાલા, અત્યંત શુક્લધ્યાનથી યુક્ત અનિત્યતા વગેરે સમસ્તભાવનાઓથી ભાવિત છે આત્મા જેનો એવા મૃગધ્વજ રાજાને લોકાલોને પ્રકાશરનારું ક્વલજ્ઞાન થયું. રચાયેલા સુવર્ણકમલઉપર બેસીને મૃગધ્વજ રાજાએ ભવ્યજીવોની આગળ ધર્મનો ઉપદેશ ક્ય. વ્યાખ્યાનના અંતે કમલમાલા સહિત – હંસ અને ચંદ્રક જ્ઞાનીની પાસે લ્યાણકારી સુખને આપનારા વ્રતને (સંયમન) ગ્રહણ કર્યું. ક્વલજ્ઞાન ઉત્પન્ન થયે છતે મૃગધ્વજ રાજાએ (કેવલીએ ) ધર્મવૃધ્ધિ આદિ કારણથી પત્નીનું વૃતાંત કોઈની આગળ કહયું નહિ. આ બાજુ મૃગધ્વજ રાજાની બે ચક્ષુઓ પાસે ચંદ્રને આવેલો જાણીને સ્પષ્ટ થયું છે શરીર જેનું ( પ્રગટશરીરવાલો ) એવો ચંદ્રશેખર પોતાના નગરમાં ગયો. રાજર્ષિરૂપી સૂર્ય ભવ્યજીવરૂપી કમલને બોધ કરવા માટે વિહાર , અને શુરાજા લોકસમુદાયને ન્યાય માર્ગમાં પ્રવર્તન કરાવતા રાજ્ય કરતો હતો. ચંદ્રશેખરે ભક્તિપૂર્વક દેવની આરાધના કરીને ચંદ્રવતીને ભોગવવા માટે શુના રૂપની માંગણી કરી. ચંદ્રશેખરરાજા શુકના રાજયને ઈચ્છતો હંમેશાં તેના પરદેશ ગમનની ઈચ્છા કરવા લાગ્યો. એક વખત પદ્માવતી અને વાયુવેગા પત્ની સહિત શુકરાજા સારા દિવસે શાશ્વત અરિહંતોને નમસ્કાર કરવા માટે ચાલ્યો. ચંદશેખર શુકના રૂપને ધારણ કરતો શુકના ઘરમાં રાત્રીએ જઈને ભોગને માટે ચંદ્રવતીને મલ્યો. દેવના પ્રભાવથી શુકના રૂપને ધારણ કરનારો રાત્રિમાં પોકાર કરતો તે જ વખતે ચંદ્રશેખર આ પ્રમાણે ઊભો થયો. કોઇક વિદ્યાધર મારી બે પત્નીને અને આકાશગામિની વિદ્યાને લઈને ચાલ્યો ગયો છે. તેથી હું અહીં આવ્યો છું. મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિ ! તમારા શરીરમાં કુશલ છે ને ? શુકે જ્હયું કે – “હમણાં મારા શરીરમાં કુરાલ છે. મંત્રીઓએ હયું “હે સ્વામિ ! લક્ષ્મી પત્ની અને પુત્ર વગેરે ઘણાં થાય છે. પણ જીવિત ક્યારેય થતું નથી.' આ સંસારમાં હજારો માતા-પિતા – સેકડો પુત્રો અને સ્ત્રીઓ વ્યતીત થયાં છે. આ સંસારમાં ક્યો મનુષ્ય કોનો થાય ? દેવના પ્રભાવથી શુના દેહને ધારણ કરનારો ચંદ્રશેખર સાચા શુની જેમ હંમેશાં સઘળી પ્રજાનું રક્ષણ કરે છે. હંમેશાં હર્ષવડે’ ચંદ્રવતી સાથે ભોગસુખકરતો ચંદ્રશેખરરાજા કપટનું ઘર થયો. આ બાજુ શુક્રરાજા શાશ્વતતીર્થોમાં પ્રિયાસહિત દેવોને નમસ્કાર કરીને જેટલામાં ઉદ્યાનમાં આવ્યો. (શુક) તેટલામાં બનાવટી શુકે કહયું કે “હે મંત્રીશ્વર ! મારી બે પ્રિયાઓને અને આકાશગામિનીવિધાને હરણ કરીને લઈ ગયો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy