SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફામાં રહેલા શ્રી ઋષભદેવને નમન કરવાથી ત્રણ ભવમાં મુક્તિએ જનાર નંદભૂપની કથા ૪૧ વડે જણાતું નથી. આ પ્રમાણે વિચારતો તે રાજા જાતિસ્મરણ જ્ઞાન પામીને પોતાની જાતે પ્રત્યેબુદ્ધ થયો. ને અનુક્રમે સાધુવેશને ધારણ કરનારો થયો. પૃથ્વી ઉપર પ્રતિબોધ કરતાં વીરસેન (પ્રત્યેક બુદ્ધ) અવંતિ નગરીની નજીક બને પુત્રોને પ્રતિબોધ કરવા માટે સુંદર વિચારણાપૂર્વક એક વખત (ત્યાં) આવ્યા. दानशीलतपोभाव - भेदै धर्मं चतुर्विधम्। आराधयन् सुरावासं, शिवशं लभते क्रमात्॥ દાન-શીલ–તપને ભાવના ભેદવડે ચારે પ્રકારે ધર્મની આરાધના કરતા દેવલોક્ના આવાસને અને અનુક્રમે મોક્ષને જીવ મેળવે છે. પરમાત્માનું ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમનું અને અભિગ્રહ કરવાથી લાખ પલ્યોપમનું અને તેની સામે) માર્ગમાં જતાં એક સાગરોપમનું એકઠું કરાયેલું દુષ્કર્મ ક્ષય પામે છે. भरतेन गुहायां तु - कारितायां शिवाचले। यो जिनान् नौति तस्य स्या न्मुक्ति भवान्तरे ध्रुवम्॥ યત:- ય: વરતિ સર્વજ્ઞ - પ્રસિદ્ધિ શિવપર્વત तस्य स्वर्गापवर्गादि - सुखं नो दुर्लभं भवेत्॥१॥ ભરતરાજાવડે શ્રી સિદ્ધગિરિઉપર કરાવેલી ગુફામાં જિનેશ્વરેને જે સ્તુતિ કરે છે તેની નિગ્ને સંસારમાં મુક્તિ થાય છે. કહયું છે કે જે શ્રી સિદ્ધગિરિ પર્વતઉપર જિનમંદિર કરાવે છે તેને સ્વગને મોક્ષનું સુખ દુર્લભ નથી. (૧) આ સાંભળીને નંદરાજપુત્ર શ્રી શત્રુંજયગિરિઉપર જઈને અલક્ષદેવ-કુલિકાની અંદર સમાધિપૂર્વક રહયો. અહમના અંતે પદિયસે આવીને આ પ્રમાણે જ્હયું કે- તારાપવડે હું તુષ્ટ થયો છું. તું મારી પાછળ આવ. ગુફામાં રહેલ) ઋષભદેવ પ્રભુને હું જલદીથી તને વંદન કરાવીશ. નંદે કહયું કે હે યક્ષરાજ ! હમણાં મારા વાંછિતને પૂરો. તે પછી કપર્દિયક્ષ હર્ષવડે નંદને ગુફાની અંદર લઈ જઈને ભરતે સ્થાપન કરેલા શ્રી ઋષભદેવ પ્રભુને નિચ્ચે વંદન કરાવ્યું. ત્યાંથી જઈને જિનધર્મને કરીને તે નંદરાજપુત્ર મરીને રમા નગરીમાં પાનામે રાજાનો પુત્ર થયો. ગુરુ પાસે દીક્ષા લઈને તે વખતે બધાં કર્મ ખપાવી લોકાલોને પ્રકાશ કરનાર ક્વલજ્ઞાનને પામી તે ક્વલી ઘણાં પ્રાણીઓને જૈનધર્મને વિષે પ્રતિબોધ પમાડી– આયુષ્યના અંતે ઘણા સાધુ સહિત મોલમાં ગયા. આ પ્રમાણે ગુફામાં રહેલા શ્રી રાષભદેવજિનેશ્વરને નમસ્કાર કરવાથી ત્રણ ભવમાં મુક્તિએ જનાર નંદરાજપુત્રની કથા પૂર્ણ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy