SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર લ્યાણ માટે સ્થાપના કરી. તે મૂર્તિ આજે પણ અન્ય ઈન્ધવડે પૂજાય છે. શ્રી નેમિનાથ પ્રભુનાં ત્રણ લ્યાણકો નિચ્ચે અહીંયાજ થશે. શ્રી નેમિનાથ પ્રભુની (મૂર્તિ) સ્થાપનાનો સંબંધ સંપૂર્ણ શ્રી ભરત ચક્રવર્તીનો - ટૂંકો સંબંધ સુરાષ્ટ્ર દેશનું રક્ષણ કરતાં શક્તિસિંહ રાજાને ત્રણ છત્ર આપીને ભરતચક્વર્તિએ કહયું કે સુરાષ્ટ્ર દેશમાં રાજય કરતાં તમારે આ બન્ને તીર્થોનાં વિબો દૂર કરવાથી રાત્રિ દિવસ રક્ષા કરવી જોઇએ. હાર વગેરે અલંકારોવડે ઘણાં હાથી -ઘોડાને રોવડેતેમ જ રત્નોવડેનેદ્રવ્યવડેતેને સન્માન કરી શક્તિસિંહરાજાને વિદાય કર્યો. શક્તિસિંહરાજા પુણ્યાનુબંધી પુણ્યને કરતો. જિનેશ્વરની આરાધના કરતો. સર્વપ્રજાનું પાલન કરતો હતો. પછી ચક્રવર્તિ આબુ પર્વતઉપર આવ્યો. અને ત્યાં ચશ્વર્તિએ પુણ્યને માટે અરિહંતોના પ્રાસાદો કરાવ્યા. તે સર્વાના જિનમંદિરોમાં ભરતરાજાએ શ્રી આદીશ્વર ભગવંત વગેરેની શ્રેષ્ઠમૂર્તિઓ સ્થાપન કરી. તે પછી ભરતચક્રવર્તિ હંમેશાં ઉત્સવ કરાવતો પ્રવેશ ઉત્સવપૂર્વક અયોધ્યા નગરીમાં આવ્યો. તે આ પ્રમાણે भटैर्जयजयाराव मुच्चरद्भिः पुरोगतैः। गायद्भिर्गायनाम, रामरङ्गपवित्रितम्॥८॥ उच्चारिणीभिर्धवलान्-कुलस्त्रीभिश्च पृष्ठितः। गणभृद्भिः पुरस्ताच्च - सङ्गतः सुकृतैरिव ॥९॥ अनुव्रजन् सर्वशोभा-सङ्गतेऽमी देवतालयम्। प्रविवेश पुरी चक्री - समं सङ्घ सुरासुरैः ॥१०॥ જ્ય ય શબ્દનો ઉચ્ચાર કરતાં એવા આગળ રહેલા ભટવડે – ગ્રામ - રાગ ને રંગથી પવિત્ર એવા ગાયકો ગાતા હતા ત્યારે પાછળ ધવલ – મંગલનો ઉચ્ચારણ કરતી સ્ત્રીઓવડેને આગળ પુણ્યની જેવા ગણધરોવડે યુક્ત સર્વ શોભાથી સહિત તે સંઘમાં દેવમંદિરની પાછળ જતાં એવા ચક્વર્તિએ સંઘ – દેવ અને અસુરો સાથે નગરીમાં પ્રવેશ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy