SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સપના જીવનો સંબંધ ૧૪૫ કહયું છે કે:- શત્રુંજયના ધ્યાનથી એક હજાર પલ્યોપમ. અભિગ્રહથી એક લાખ પલ્યોપમ. અને (તેની તરફ) માર્ગમાં જ્યાં એક સાગરોપમ પ્રમાણ એકઠું કરાયેલું દુષ્કર્મ ક્ષય થાય છે. કર્મના લઘુપણાથી અને શત્રુંજયતીર્થનું માહાસ્ય સાંભલવાથી ઉત્પન્ન થયું છે જાતિસ્મરણશાન જેને એવા સર્પે પોતાના પૂર્વ ભવોને યાદ ક્ય. મેં પહેલાં પત્નીને – પુત્રને – પુત્રીને અને ગાયને હણી તેથી હું નરકમાં ગયો. અને ઘણું દુઃખ પામ્યો. તેથી દરમાંથી નીકળીને તે સર્પગોળાકાર થઈને પોતાની લ્યાણ સંપતિના કારણભૂત મુનિના ચરણોમાં નમસ્કાર ર્યો. ત્યારે ત્યાં આવેલા વિદ્યાધરોની આગળ મુનિએ શ્રી શત્રુંજય તીર્થના નમસ્કારનું ફલ કહયું. શ્રી શત્રુંજયતીર્થના સ્મરણથી, સ્પર્શથી – નમસ્કારથી – દર્શનથી મનુષ્યોના હાથમાં મોક્ષલક્ષ્મી થાય છે. ધ્યાન કરવાથી એક હજાર પલ્યોપમ, અભિગ્રહથી એક લાખ પલ્યોપમ અને માર્ગમાં જતાં એક સાગરોપમનું ભેગું થયેલું દુષ્કર્મ ક્ષય પામે છે સર્પ શત્રુંજયનું સ્મરણ કરતાં મુનિને વંદન કરી વિદ્યાધરના દેખતાં તે વખતે તેમની પાસે અનશન લીધું. તે સર્પ તે વિદ્યાધરોવડેશ્રી પુંડરીકગિરિ ઉપર લઇ જવાયો અને નમસ્કાર સંભળાવાયો. અને મરી ગયેલો તે દેવોનો સ્વામી થયો. કહ્યું છે કે:- હજારો પાપ કરીને – સેંકડો જીવોની હિંસા કરીને આ તીર્થને પામીને તિર્યંચો પણ દેવલોકમાં ગયાં છે. આ સર્પમાંથી થયેલું મારું શરીર છે. હું સર્પનો જીવ છે. આ તીર્થના માહાભ્યથી ખરેખર હું ઈદ થયો છું. તે પછી ઈદે પોતાના આ સર્પના દેહને શ્રી શત્રુંજયગિરિઉપર દેદીપ્યમાન ચંદન કપૂર અને કાર્વડે અગ્નિસાત કર્યો (બાળી નાંખ્યો) સર્પને બાળવાની ભૂમિઉપર ઈદ મહારાજાએ રત્નમયપીઠ કરીને બનાવીને) તીર્થને નમસ્કાર કરી ઈદ પોતાના સ્થાનમાં ગયો. આ પ્રમાણે ઈન્દ હેલું સર્પનું ચરિત્ર જાણી અમે બન્નેએ વૈતાઢ્ય પર્વતપર જઈને માતા – પિતાની જા લઈને શ્રી ઋષભદેવપ્રભુ પાસે દીક્ષા લઈ ઘણાં શાસ્ત્રો ભણી શ્રી ઋષભદેવપભુના આદેશથી હમણાં અહીં આવ્યા છીએ. ભરત મહારાજાએ શ્રી શત્રુંજયનું માહાસ્ય સાંભળીને મોક્ષના સુખને માટે શ્રી શત્રુંજ્યને નમસ્કાર કરવા માટે ઇચ્છા કરી. તે સર્પનો જીવ – ઈદના ભવથી અનુક્રમે તેરમા ભવે સર્વકર્મનો ક્ષય કરી નિશે મુક્તિપુરીમાં જશે. આ પ્રમાણે સર્પના જીવનો સંબંધ – સંપૂર્ણ. સુધાસન – રાજાની - ક્યા - એક વખત ભરતરાજાએ ઋષભદેવપ્રભુપાસે કહયું કે હે પ્રભુ! હમણાં શ્રી સિધ્ધગિરિ ઉપર કોણ મોક્ષ પામ્યા?
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy