SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પૂજા કરાય છે, તે પણ દ્રવ્ય પૂજા કહેવાય છે. (ત્યાગી સાધુપણાને લીધે દ્રવ્યપૂજાનાં ઉપકરણો તેમની પાસે ન હોય, અને મહાવ્રતનો આચાર પાળવાનો હોવાથી, દ્રવ્યપૂજા ન કરી શકે, પરંતુ તેટલાથી કારણ વિશે દ્રવ્યપૂજાનો નિષેધ થતો નથી. આ તાત્પર્ય હશે?) ૩-૭૯૫ા પ્રશ્ન: એકવિંશતિસ્થાનકમાં નેમિનાથ ભગવાનને અગીઆર ગણધરો કહ્યા છે, અને કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા, તે કેવી રીતે? ઉત્તર:- ૧૧ ગણધરો એકવિંશઠાણ તેમજ સપ્તતિશતહાણ, પ્રવચનસારોદ્ધાર, આવશ્યક વિગેરે ગ્રંથોમાં કહેલા છે. કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા છે. આ પ્રમાણે ભેદ પડે છે, તે મતાંતર જાણવું. ૩-૭૯૬૫ પ્રશ્ન: નવેય વાસુદેવોનું શરીરબળ સરખું હોય? કે જૂન અધિક હોય? ઉત્તર-અવસર્પિણી કાળના પ્રભાવે તેઓનું શરીરબળ ન્યૂનાધિક પણ હોય છે, કેમકે પહેલા વાસુદેવે કોટીશીલા છત્ર સુધી ઊંચી ઉપાડી અને નવમા વાસુદેવે ભૂમિથી ફક્ત ચાર આંગુલ સુધી ઉપાડી છે. ૩-૭૯૭ના પ્રશ્ન: કાર્તિક અમાવાસ્યાની રાત્રિમાં શ્રી મહાવીર-સર્વજ્ઞાય નમઃ આ પદ ગણાય છે. તે શા માટે છે? અને કયા દિવસે જ્ઞાન થયું? ઉત્તર:–મહાવીરભગવતે સર્વજ્ઞપણાએ દેશના આપી છે, માટે શ્રી મહાવીર-સર્વજ્ઞા નમ: ગણાય છે. અને મધ્ય રાત્રે (રાત્રિ પછી) મુક્તિ ગયા છે, તેથી શ્રી મહાવીર પાતાય નમ: આ ગણાય છે.૩-૭૯૮૫ પ્રશ્ન: નિર્વાણ વખતે ભગવાને ૧૬ પહોર દેશના આપી, તે કયા દિવસથી માંડી કયા દિવસમાં પૂરી થઈ? ઉત્તર:-ચૌદશના દિવસથી માંડી અમાવાસ્યાની પાછલી રાત્રિની બે ઘડી બાકી રહી ત્યારે પૂર્ણ થઈ સંભવે છે. કેમકે-“અમાવાસ્યામાં ર૯ મુહૂએ નિવણ થયું” એમ કહેલ છે, તેથી ૧૬ પહોર તો તેના પહેલાં થઈ જવા જોઇએ. ૩-૭૯૯ | શ્રી રવર્ધન ગણિકૃત પ્રશ્નોત્તરો. : શ્રાવકને નીવીના પચ્ચકખાણમાં સાધુની પેઠે નિવિયાતું કલ્પે? કે નહિ? ઉત્તર:- સાધુઓને અને શ્રાવકોને મુખ્ય રીતીએ નિવિયાતું કહ્યું નહિ. કારણ હોય તો ધે છે. આવા અક્ષરો શાસ્ત્રમાં છે, અને શ્રાવક કોઈક
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy