SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ આ પ્રકારના વિચારથી બધું બંધ બેસતું જ થઈ જાય છે. ૩-૫૭૯ પ્રા: કલ્પસૂત્રમાં નેમિનાથ ભગવાનને ૪૦ હજાર સાધ્વીઓનો પરિવાર કહ્યો, નેમિચરિત્રમાં તો "કનકવતી રોહિણી અને દેવકી વિના તમામ સ્ત્રીઓએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી.” વસુદેવ હીડિમાં પણ “વસુદેવની ૭૨ હજાર સ્ત્રીઓ ભગવાન પાસે દીક્ષા લઈ મોલમાં ગઈ કુગ વિગેરેની હજારો સ્ત્રીઓએ શ્રીનેમિનાથભગવત પાસે દીક્ષા લીધી છે. આ બધી સંખ્યા ગણતાં ૪૦ હજાર સંખ્યા કેવી રીતે ઘટે? તેમજ સર્વ તીર્થકરોની સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સંખ્યા કલ્પસૂત્રમાં કહી છે, તેમાં સંદેહ આવી પડે છે. ઉત્તર:-તીર્થંકર મહારાજા પાસે જેઓ સમકિત પામી દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે પામ્યા હોય, તેઓનેજ તીર્થંકરના પરિવારમાં ગણવા. બીજા ગણાતા નથી. માટે શંકાને સ્થાન રહેતું નથી. ૩-૫૮૦ . પષ્ઠિતશ્રી કીર્તિવિજય ગણિકૃત પશ્નોત્તરો. પક્ષ: કેટલાક જીવો ઈલિકાગતિએ ભવાન્તરમાં જાય છે, અને કેટલાક દડાની ગતિએ જાય છે, તેનું કારણ શું? ઉત્તર-ઓ દેશથી મારણાંતિક સમુઘાતમાં મરે છે, તેઓ ઉપજવાને સ્થાને ઈયળની ગતિએ પહોંચે છે. કિમકે-તેમાં કેટલાક પ્રદેશો ઉત્પત્તિ સ્થાને પ્રથમ પહોંચેલા હોય છે. માટે તે દેશ સમુદ્રઘાતવાળા કહેવાય છે.] અને જ્યારે સર્વથી મારાણાનિક સમુદ્યાત કરી [પાછો વળીને મરી]. ઉપજવાને સ્થાને જાય છે, ત્યારે દડાની ગતિની જેમ સર્વ પ્રદેશોથી] જાય છે, માટે સર્વ સમુદ્યાતવાળા બને છે, એમ ભગવતીસૂત્રમાં કહેલું છે. શિ. ૧૩૬.] ૩-૫૮૧ # બે સક્ઝાય પઠાવીને ગુરુ પાસે બન્નેય કાલનું અનુષ્ઠાન કરી, બે પાટલી કરી લઈ, વૈરાત્રિકકાલ પડિક્કો હોય, તેને અંડિલ વિગેરે માટે બહાર જવું હોય, અને પહેલો પહોર પૂરો થયો હોય, તો બાકીની ક્યિા સાંજે કરવી કહ્યું? કે નહિ? ઉત્તર:-પ્રભાતમાં સર્વ ક્રિયા કરી લેવાની અશક્તિ હોય, તો બે સક્ઝાય પઠાવીને બે કાલની ક્યિા કરે, અને તે વાર પછી એક પાટલી કરીને એક સઝાય પઠવે, તે પછી બીજું કાલમાંડલું કરીને વૈરાત્રિકકાલ પડિક્કમે,
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy