SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ પ્રશ્ન: શાન્તિનાથ ભગવાનની માતાએ બે વખત ચૌદ સ્વપ્ન દેખ્યા કે એક વખત ? ઉત્તર:—શત્રુંજ્ય માહાત્મ્યમાં આઠમા પર્વમાં કહ્યું છે કે:द्विःस्वप्नदर्शनादर्हच्चक्रिजन्म सुनिश्चया । રત્નામૈવ સા ગમ, ધમા શુમલોહા 186 II - “બે વાર સ્વપ્ન દેખવાથી અરિહંત અને ચકીના જન્મનો જેને નિશ્ચય થયેલ છે, એવી તે માતા રત્નગર્ભા પૃથ્વી પેઠે ગર્ભને શુભ દોહલાવાળી થઈ ધારણ કરવા લાગી.” આ પ્રકારે બીજા ગ્રંથમાં પણ છે. તેથી અચિરામાતાએ બે વાર સ્વપ્નાં જોયાં હતાં. ॥ ૩-૪૫૫॥ પ્રશ્ન: ૪: તપ કરવાની અશક્તિવાળા શ્રાવકે આલોયણમાં દ્રવ્ય વાપરવાનું લીધું, તો તે દ્રવ્ય દેરાસરમાં વપરાય? કે બીજે ઠેકાણે વપરાય? અને ખરચવાનું દ્રવ્ય પ્રમાણ કેટલું અપાય ? ઉત્તર :— આલોયણમાં તપ કરવાની શક્તિ ન હોય, તો શ્રાવકને સંપત્તિ મુજબ દ્રવ્ય ખર્ચવાંનું બતાવાય, પણ આટલું જ ખર્ચવું" એવો નિયમ હોય નહિ. અને તે દ્રવ્ય જીવદયા, જિનમંદિર અને જ્ઞાનભંડાર વિગેરેમાં અવસર મુજબ ખર્ચ કરવું જોઈએ. ॥૩-૪૫૬॥ પ્રશ્ન: શ્રાવક વાંદણાં દેતાં મુહપત્તિએ કરી ગુરુચરણને પૂંજે, તો આશાતના લાગે ? કે નહિ ? ઉત્તર :— મુહપત્તિએ ગુરુપગે પૂંજે તેમાં આશાતના થાય તેવું જાણ્યું નથી. પણ ઉલટું ગુરુચરણનું પૂંજવું, તે વ્યાજબી છે. જેમ શિષ્ય ગુરુચરણને રજોહરણે કરી પૂજે છે, તેમ આ પણ જાણવું. ॥ ૩-૪૫૭ ॥ પ્રશ્ન: છકીયું ઉપધાન વહન કર્યાં બાદ છ મહિનાની અંદર માળા પહેરવી જોઈએ ? કે છ માસ પછી પણ પહેરાય ? ઉત્તર :— છકીયા પછી છ માસમાંજ માળા પહેરવી જોઈએ એવો એકાંત જાણ્યો નથી, પણ જેમ વેલાસર પહેરાય તેમ કરવું તે શ્રેષ્ઠ છે. ૫૩-૪૫૮॥ પ્રશ્ન: ઉપધાનની વાચના તપ પૂર્ણ થાય ત્યારે તપના દિવસમાંજ અપાય ? કે બીજા દિવસે પણ અપાય ? [સન પ્રશ્ન-૧૭...]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy