SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કેમકે-સમદષ્ટિએ ગ્રહણ કરેલી જિનપ્રતિમા ભાવગ્રામ પણે સિદ્ધાંતમાં બતાવી છે, પણ મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલી નહિ. કેમકે-હત્કલ્પ નિર્યુક્તિમાં મા સમાવિઆ પરિમા, ચા જ ખાવાનો રિ- “જે સમકિતએ ગ્રહણ કરેલી જિનપ્રતિમા છે, તે ભાવગ્રામ કહેવાય છે, બીજી કહેવાતી નથી. “વળી બીજાઓ વિમાનના અધિપતિ દેવોને મિબાદષ્ટિ કહે છે, તો પ્રશ્ન પૂછીએ કે- “તે દેવો તીર્થકરની આશાતના વર્ષે છે? કે નહિ? જો “વર્જે છે,” એમ કહો, તો તેઓનું મિશ્રાદષ્ટિપણું દૂર ભાગી ગયું. કેમકે-“આશાતનાનું વર્જન સમકિતીને હોય છે.” આ વચનથી સમકિતી ઠરે છે. અહો કેવા ૫ સીe વિવિનોદિતિ નિમવો અછાતાજું સમું જ્ઞાનં વચનં ર વનંતિ “અહો દેવોનો કેવો આચાર છે? કે જિનભવનમાં અપ્સરાઓ સાથે વિષયરૂપ વિષે કરી મોહિત છતાં, હાસ્ય અને કીડાઓ વર્જે છે.” આવો આશાતનાનો પરિહાર સિદ્ધાંતમાં કહેલો દેખાય છે, બીજે દેખાતો નથી. આ આચાર મિથ્યાષ્ટિને સ્વપ્ન પણ સંભવે નહિ, પરંતુ સમકિતીને સંભવે છે, માટે જ આશાતનાને વર્જનારા દેવોનો વર્ણવાદ અરિહંતના વર્ણવાદની પેઠે સુલભબોધિનું પણ કારણ થાય છે. ઠાણાંગમાં પણ કહ્યું છે, કે પંડિ जीवा सुलहबोहिताए कम्मं पकरेंति,- अरहंताणं वण्णं वयमाणे, जाव વિવિધadવવમા રેવા વor વયમાળે પાંચ બાબતોએ કરી જીવો સુલભ બોધિપણું મેળવે છે, તેમાં દેવોનો વર્ણવાદ કહેલો છે. તેવામાં વધor વયમા-દેવોનો વર્ણવાદ એટલે આચારની પ્રશંસા સુલભબોધિપણાનું કારણ થાય છે. વળી કેટલાકો શંકા કરે છે, કે “મિથ્યાષ્ટિ છતાં સ્થાનના માહાત્મથી આશાતના વર્જતા હશે.” તે પણ ખોટું છે, કેમકે-મિથ્યાષ્ટિઓ આશાતના વજીને સુલભબોધિપણાનું કારણ બાંધી શકતા નથી, ઉલટા સમકિતવિરુદ્ધ જ હોય છે. હવે બીજો પક્ષ કહો કે-“આશાતના વર્જતા નથી.” તો તે પક્ષ ઉપેક્ષા કરવા લાયક છે. કેમકે-આગમમાં સિદ્ધાયતનની આશાતનાનો પરિહાર જ બતાવેલ છે. વર્ષ કેવા કેવા વંશના અળગા - “ઘણા દેવ દેવીઓને વંદનીક પૂજનીક છે.” એમ બતાવ્યું છે. તે આશાતના વર્જતા હોય તો જ ઘટે. વળી સિદ્ધાયતન તો દૂર રહો, પણ પોતાની સુધર્મા સભામાં માણવક ચેત્યસ્તંભોમાં અરિહંત મહારાજની દાઢાવાળા ડાબલાઓ રહે છે. તેથી ત્યાં પણ દેવો મૈથુનપ્રવૃત્તિ વિગેરેથી આશાતનાઓ કરતા નથી, તેથી સિદ્ધ થાય છે કે દેવોને સુલભબોધિનું
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy