SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પ્રશ્ન: પ્રત્યેનો પત્નત્તો તત્ત્વ અસંા અપખન્ના-“જ્યાં એક પર્યાપ્તો જીવ છે, ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા અપર્યામા જીવો છે.” આ વાક્ય એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યામા સુધીને લાગુ પડે છે? કે ફક્ત એકેન્દ્રિય પર્યામાનેજ લાગુ પડે છે? – ઉત્તર :— આ નિયમ ફ્ક્ત એકેન્દ્રિય પર્યામાનેજ લાગુ પડે છે, પણ બેઈંદ્રિય વિગેરેને લાગુ પડતો નથી. કેમકે પન્નવણા સૂત્રમાં એકેન્દ્રિયના સૂત્રમાંજ તે નિયમ કહ્યો છે. ૫૨-૨૮૮॥ પ્રશ્ન: યત્ ોનિઃ વિત્ત માઁ- આ વાક્યમાં ચત્ શબ્દને કઈ વિભક્તિ છે? અને તારુપૂત આ વાક્યમાં તત્ શબ્દને કઈ વિભક્તિ છે? અને આ યત્ સત્ શબ્દો અવ્યય છે કે નહિ ? ઉત્તર: —ચત્ શબ્દ ક્રિયાવિશેષણ કરીએ તો તેને બીજી વિભક્તિ છે. અને માત્ર વાક્યાર્થવાચી રાખીએ, તો પ્રથમા વિભક્તિ પણ સંભવે છે, અને તત્ શબ્દને પૂર્વ પરામર્શિપણું હોવાથી પ્રથમા વિભક્તિ થાય, અને અન્ય વ્યાખ્યાએ સપ્તમી વિભક્તિ પણ થાય, તેમજ યંત્ તત્ શબ્દો અવ્યય છે, અને અનવ્યય પણ છે, તેથી બધું ઘટે છે. ૫૨-૨૮૯ ॥ પ્રશ્ન: પ્રતિવાસુદેવ અથવા વાસુદેવ પૂર્વ તરફનો ખંડ તથા પશ્ચિમ તરફનો ખંડ સાધવા જતાં ધર્મરત્નનો તેને અભાવ હોવાથી ગંગા અને સિંધુ શી રીતે ઉતરી શકે? તથા સંપ્રતિ રાજા વિગેરેનું ત્રણ ખંડનું અધિપતિપણું કહેવાય છે,તે વાસ્તવિક છે? કે ઉપચરિત છે? } ઉત્તર :— વાસુદેવ અને પ્રતિવાસુદેવને દેવાદિની સહાય હોવાથી બધું સંભવે 9.112-20011 પંડિત જયવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સ્મૃતોમુદ્ધજ્ઞમિત્તપિ આ ગાથામાં સમકિત પામેલા જીવોનો અર્ધ પુદ્ગલ પરાવર્ત કાલ કહ્યો છે, તે સૂક્ષ્મ અને બાદર દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પુદ્ગલ પરાવર્ત આઠ પ્રકારે થાય છે, તેમાંથી ક્યા પુદ્ગલ પરાવર્તનો લેવો ? ઉત્તર:—તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કાલ સંભવે છે. કેમકે પ્રવચન સારોદ્ધારના ૧૬૦ મા દ્વારની ટીકામાં, પુદ્ગલ પરાવર્તના સ્વરૂપમાં કહ્યું છે કે
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy