SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ જમાનામાં આપણી રક્ષક ર્તવ્ય દિશા (પહેલી આવૃતિમાંથી) આર્ય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે, આર્યસંસ્કૃતિની અને પૂર્વાપરના પવિત્ર સંસ્કારની વારસદાર આર્યપ્રજાને જગતમાં ટકાવી રાખવા માટે, આર્ય સંસ્કારોને વળગી રહેલી, આર્ય સંસ્કારોને આદર્શ માનતી અને જીવનમાં સાક્ષાત્ જીવતી ભારતીય આર્ય લોહીવાળી પ્રજાનો ભારતવર્ષ સાથેનો સંબંધ કાયમ ટકાવી રાખવા માટે, અને તે સર્વના અતિમહત્ત્વના કેન્દ્રભૂત જૈનશાસન, તેના તત્ત્વો, તેનો પૂર્વાપરનો વહીવટ, અને તેના મુખ્ય મુખ્ય પ્રતિકો ટકાવી રાખવા માટે, મુનિ મહારાજાઓએ પણ દર્શનશુદ્ધિના કર્તવ્યની દષ્ટિથી હાલના જમાનામાં હવે પછી કઈ જાતના ઉપદેશો આપવા તરફ વલણ ધરાવવું જોઈએ? અને આર્ય પ્રજાનું તદનુકૂળ માનસ ઘડવા માટે કયા પ્રયત્નોને સમ્મત થવું જોઈએ? તે વિષે અત્યન્ત ટુંકાણમાં નિર્દેશ કરી આ ઉપોદ્યાત સંપૂર્ણ કરીશું. ૧. ધર્મ: ૧. પોતપોતાના ધર્મને વળગી રહેવું:- દરેકે પોતપોતાના ચાલુ ધર્મમાં સ્થિર રહેવું. ધર્મ પરિવર્તન કરવું કે કરાવવું નહીં. વિશ્વધર્મ પરિષદ, સર્વધર્મ પરિષદ, સંપ્રદાયોની એકતા વિગેરે પ્રવૃત્તિને ટેકો ન આપવો. પરંતુ તે તે ધર્મવાળાઓની સમગ્ર પ્રતિનિધિભૂત જે જે મુખ્ય સંસ્થા હોય તેની સાથેની એકસપી સંધિથી જાળવી રાખવી. તેમાં પ્રથમ આર્યધર્મો અને પછી અનાર્ય ધર્મોવાળાઓ સાથે, સર્વ આર્યધર્મોની નીતિને અનુસરીને તેમાંની મર્યાદા પ્રમાણે એકસંપી જાળવવા ગોઠવાણ કરવી. શ્રીસંઘની પૂર્વાપરની નીતિ અને મર્યાદાઓ ધ્યાનમાં લઈ તેના સિદ્ધાંત અનુસાર જ તાત્કાલીન સંજોગોમાં વર્તવું. ૨. ધર્મોની ક્રિયામાં રત:-દરેક ધર્મવાળાઓ પોતપોતાની ધાર્મિક માન્યતામાં રહીને પોતપોતાના ધર્મની ક્રિયા કરશે તો જ તે તે ધર્મો ટકી શકશે. ક્રિયા-આચાર છોડશે તો પ્રજાના જીવનમાં બીજા ભળતાજ આચારો-વર્તનો દાખલ થઈ જશે ને પોતાના મૂળ ધર્મોનો પોતામાંથી લોપ થઈ જશે. કોઈપણ ભાવનાને જીવવાનો આધાર પ્રજાના રોજના જીવનમાં વણાયેલી તેની ક્રિયા ઉપર છે. ૩. ધર્મના ચાલુ પર્વો-અને આચાર:- ધર્મનાં ચાલુ પર્વો અને આચારો વિગેરે હોય, તે મૂળ પદ્ધતિ પ્રમાણે ચાલુ રાખવા, નવા ઉમેરવા નહીં. જયંતી માત્રનો ત્યાગ થવો જોઈએ. - ૧૦
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy