SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાવચ્ચયોગને લઈને પ્રણામ વગેરે સ્વરૂપ ક્રિયા કરી હતી તે ઉત્તમયોગી પાસેથી જ સદુપદેશાદિને પ્રાપ્ત કરવાથી ચોક્કસપણે જે ફળની ઉત્તરોત્તર પ્રાપ્તિ થાય છે તે જ ફલાવખ્યયોગ તરીકે મનાય છે. અહીં ધર્મસિદ્ધિના વિષયમાં યોગાવસ્ચકાદિની ઉપયો– ગિતા સ્પષ્ટપણે વિચારી લેવી જોઈએ. ઉત્તમયોગીઓનું દર્શન, તેમને પ્રણામ વગેરે કરવા સ્વરૂપ ક્રિયાનું કરણ અને ત્યાર બાદ તેમની જ પાસે સદુપદેશાદિનું શ્રવણ કરવાથી મુમુક્ષુ આત્માને સાનુબન્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. તે જ ફ્લાવત્ચકયોગ છે. ઉત્તરોત્તર અનુક્રમે વિશિષ્ટ એવા ધર્મસ્વરૂપ ફળની પ્રાપ્તિને અહીં સાનુબન્ધલાવાપ્તિ તરીકે વર્ણવી છે. એકાદ બે વાર ધર્મસ્વરૂપ ફળ મળે પરન્તુ પછી તે ન મળે તો તે નિરનુબંધ ફળની પ્રાપ્તિને લાવબ્ધયોગ સ્વરૂપે વર્ણવી નથી. યોગના ફળને જેઓ ઈચ્છે છે તેમની તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ અવસ્ચક ત્રણ યોગનું સ્વરૂપ તેઓએ સમજી લેવું જોઈએ. તે તે કાર્ય કરતી વખતે શરૂઆત ખોટી ન થાય, ક્રિયા અટકી ન પડે અને તે બગડી ન જાય એની કાળજી આપણે ચાલુ વ્યવહારમાં બરાબર રાખતા હોઈએ છીએ. એવી જ કાળજી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં અનુષ્ઠાન કરતી વખતે રાખવામાં આવે તો ચોક્કસ જ સિદ્ધિ પ્રાપ્ત થશે. ક્રિયાનો આરંભ ખોટો થાય તેમ જ ક્રિયા અટકી પડે કે બગડી જાય તો શું થાય એની કલ્પના આપણને છે જ, તેથી અવબ્ધયોગોનું મહત્ત્વ આપણે સારી રીતે સમજી શકીએ 101010101010110111018611010101010101
SR No.023224
Book TitleYog Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy