SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ : અતિરિક્ત માનવામાં આવે તો છઠું જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે અર્થાર્ જ્ઞાન પાંચ છે : એ વાક્યનો વિરોધ આવશે. તેથી સામર્થ્યયોગમાં શાસ્ત્રાતિક્રાન્તવિષયત્વ છે (શાસ્ત્રમાં સર્વ પ્રકારે તેનું વર્ણન નથી.)-એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. પરન્તુ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોવાથી તેનાથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાન્તગોચર છે-એમ કહેવામાં કોઈ દોષ નથી. ‘“પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોય તો છઠ્ઠા જ્ઞાનને માનવાનો પ્રસંગ આવશે” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તે પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યની પૂર્વકાળમાં થતું હોવાથી અરુણોય(લાલ આભા) જેવું છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચે થનારું એ જ્ઞાન હોવાથી તેનો સમાવેશ ઉભયમાં શક્ય છે. ૧૯-ગા અરુણોદયજેવું પ્રાતિભજ્ઞાન છઠ્ઠું જ્ઞાન નથી-એ સ્પષ્ટ કરાય છે— रात्रेर्दिनादपि पृथग्, यथा नो वारुणोदयः । श्रुताच्च केवलज्ञानात्, तथेदमपि भाव्यताम् ॥ १९-८॥ “જેમ અરુણોદય રાત્રિ અને દિવસથી પૃથક્ (અતિરિક્ત) અથવા અપૃથક્(અનતિરિક્ત) નથી, તેમ કેવલજ્ઞાનથી કે શ્રુતજ્ઞાનથી આ પ્રાતિભજ્ઞાન પૃથક્ કે અપૃથક્ નથી-એ વિચારવું જોઈએ.’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અરુણોદય રાત અને દિવસના અન્તે અને શરૂઆતમાં થાય છે, તે જેમ રાત અને Connorror ૧૩
SR No.023224
Book TitleYog Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy