SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આવી વિચારણાથી તે આત્માને વિચારણીય વિષયમાં કોઈ નિર્ણય થઈ શક્તો નથી. પરંતુ શાંત અને ઉદાત્ત આત્માને એવું બનતું નથી. ઉપરથી એ આત્માઓને વિશેષ જાણવાની ઈચ્છાથી વિચારણીય વિષયમાં ઉજજ્વળ એવો ઊહ(વિચારણા) પ્રાપ્ત થાય છે, જે શુદ્ધનિશ્ચયનું કારણ બને છે. તત્ત્વનિશ્ચય સુધી પહોંચવાનો એ એક જ માર્ગ છે. તત્ત્વ(આત્મસ્વરૂપ)ને પામવા માટે તત્ત્વનો નિર્ણય કરવાનું ખૂબ જ આવશ્યક છે. અધશ્ચરા તત્ત્વનિર્ણયથી તત્ત્વઝામિ શક્ય બનતી નથી. તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વનો નિર્ણય અને તત્વની પ્રાપ્તિના ક્રમમાં તત્ત્વજિજ્ઞાસા મૂળસ્થાને છે. આજના ધર્મીવર્ગમાં કવચિત જ તે જોવા મળતી હોય છે. સાચી તત્ત્વજિજ્ઞાસાને પ્રગટાવવાના બદલે એની જાણે જરૂર જ નથી એવું વર્તન જ્યારે જોવા મળે ત્યારે કેટલી હદે પરિસ્થિતિ ખરાબ થઈ છે : એનો ખ્યાલ આવે છે. ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી વાત ખૂબ જ શાંત ચિત્તે વિચારવાની આવશ્યકતા છે. સાચી જિજ્ઞાસા તત્ત્વવિચારણા માટે અત્યંત ઉપયોગી સાધન છે. એક વાર વસ્તુતત્ત્વનો નિશ્ચય થઈ જાય તો તત્ત્વને પામવાનું ખૂબ જ સરળ બને છે. શાંત અને ઉદાત્ત આત્માઓની આત્મપરિણતિ જ એવી હોય છે કે તેમને વિશેષ જિજ્ઞાસાને લઈને સહજ રીતે જ ભવવિયોગના વિષયમાં શુદ્ધનિયમાનુસારી ઊહ પ્રાપ્ત થાય છે. ૧૪-૧૩ી ઉપર જણાવ્યા મુજબ શાંત અને ઉદાત્ત આત્માઓને ભવના વિયોગના વિષયમાં પણ શુદ્ધ નિયાનુસારી ઊહ (વિચારણા) પ્રામ થાય છે અને તેથી તેમને જે સિદ્ધ થાય છે –તે જણાવાય છે
SR No.023219
Book TitleApunarbandhak Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy