SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અનુકંપા-દયા ધર્મનો પ્રાણ છે. એની રક્ષા માટે દરરોજ શક્તિ અનુસાર યોગના અર્થીએ દીનાદિવર્ગને દાન આપવું જોઈએ. જ્યાં પણ અલ્પાંશે આ પ્રવૃત્તિ ચાલે છે તે વિધિ મુજબની નથી. મોટા ભાગે દીનાદિ ઉપર ઉપકાર કરતા હોય તે રીતે જ દાન અપાય છે. જોઈતી ના હોય, નકામી હોય અને ફેંકી દેવાની હોયએવી જ વસ્તુ દીનાદિને અપાતી હોય છે. એ એક અવિધિ છે. છે અને છોડવું છે. આવી એકમાત્ર ભાવનાથી જ દાન અપાય તો મૂચ્છ ઊતર્યા વિના નહીં રહે. બહુમૂલ્ય વસ્તુ ના આપીએ; પરન્તુ નાખી દેવાનું કઈ રીતે અપાય? એઠું કઈ રીતે અપાય ? ઊતરેલું કઈ રીતે અપાય ? એ વિચારવાની ખૂબ જ આવશ્યક્તા છે. દીનાદિવર્ગને દાન આપવાની પ્રવૃત્તિ, યોગની પૂર્વસેવાનું એક અંગ છે – એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૧૨-૧૧ાા. પાત્ર અને દીનાદિવર્ગનું વર્ણન કરાય છે - लिङ्गिन: पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः । दीनान्धकृपणादीनां वर्ग: कार्यान्तराक्षमः ॥१२-१२॥ સામાન્યથી વ્રતસૂચક વસ્ત્ર ધારણ કરનારા અને વિશેષે કરી પોતાના માટે નહિ રાંધનારા, પોતાની ક્રિયાને કરનારા પાત્ર છે તેમ જ દીન, અંધ અને કૃપણ વગેરેનો ભિક્ષા સિવાય બીજું કોઈ કાર્ય કરવા માટે અસમર્થ એવો વર્ગ છે.” આ પ્રમાણે બારમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. આશય એ છે કે અહિંસાદિવ્રતના પાલકને જણાવનારા વસ્ત્રાદિના ધારકને લિગ્ગી કહેવાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબના આદિધાર્મિક જીવો મુગ્ધ હોવાથી વસ્ત્રાદિ બાહ્ય લિને જોઈને તે લિગને ધરનારાને તેઓ સામાન્યથી સાધુ માનતા હોય છે. પૂર્વ GUDDDDDDDDDDDDDDD
SR No.023217
Book TitleYog Purv Seva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy