SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ , અને લોકાદિ પદાર્થોને અનુસરનારી તે વિક્ષેપણીકથા હોવાથી તેનાથી મુગ્ધ શ્રોતાને દોષદષ્ટિના કારણે શક્કા થાય અથવા તત્ત્વબુદ્ધિ થાય. –આશ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ વિશ્વમાં વિધિ અથવા નિષેધ મુખે સ્વસિદ્ધાંતો(જૈનદર્શનપ્રસિદ્ધ) સર્વત્ર પ્રસિદ્ધ છે. દરેકે(દરેક દર્શનકારે) પોતાના દર્શનમાં કાં તો તેનું પ્રતિપાદન કર્યું છે અને કાં તો તેનું નિરાકરણ કર્યું છે. રીતે સ્વસિદ્ધાંત અત્યંત પ્રસિદ્ધ છે. તેનાથી શૂન્ય થી ઉપલબ્ધ નથી. તેથી અતિપ્રસિદ્ધ આચારાદિની જેમ વર્તમાનમાં પણ જે સિદ્ધાંતો પ્રસિદ્ધ છે, તેનાથી શૂન્ય એવી કથાની અહીં વિવક્ષા છે. યમ-નિયમાદિ આચારોની જેમ વર્તમાનમાં માર્ગાનુસારીપણાના નીતિનિયમોના સિદ્ધાંતથી પણ જે કથા શૂન્ય હોય અને લોકપ્રસિદ્ધ રામાયણાદિ તેમ જ વિદ્વજ નોમાં પ્રસિદ્ધ વેદ, શાક્ય, સાંખ્ય વગેરેના સિદ્ધાંતોને અનુસરનારી હોય તે વિક્ષેપણી કથા છે. આવી રામાયણાદિની કથા સાંભળતી વખતે; કથા કરનારે જે દોષો દર્શાવ્યા હોય તે દોષના દર્શનથી મુગ્ધ શ્રોતાને એમ થાય કે ‘અહો ! આ લોકો માત્સર્યવાળા છે, સારું તો એમને દેખાતું જ નથી’... ઈત્યાદિ પ્રકારની શંકા તે એકેન્દ્રિયજેવા (તદ્દન જડજેવા) શ્રોતાને થતી હોય . છે. અથવા તે થાને સાંભળતી વખતે જે પણ થોડું સારું સાંભળવા મળે ત્યારે શ્રોતાને એમ થાય કે ‘આ પણ \\DC\E RECT\D ૨૦ 凍凍品
SR No.023214
Book TitleKatha Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy