SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અસાધારણ ગુણોના કારણે મહત્ત્વ છે. એ ગુણવત્ત્વ (ગુણો)સ્વરૂપ જ અહીં મહત્ત્વ છે. પરમાત્માને છોડીને બીજે બધે એ ગુણોનો અભાવ છે. એ ગુણોના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ, તે અભાવનો પ્રતિયોગી) ગુણો છે. તે ગુણો માત્ર પરમાત્મામાં જ છે. અનન્યસાધારણ એવા ગુણોસ્વરૂપ મહત્ત્વ; અન્ય(માયાવી)સાધારણ એવી બાહ્યસમ્પદાથી અનુમાન કરવા યોગ્ય ન જ હોય-એ સ્પષ્ટ છે. ઃિ ... આ ગ્રન્થથી જણાવેલી વાતમાં મહત્ત્વ ન આ પદ પછી મનુમેયમ્ નો અધ્યાહાર કરવો પડે છે, તેથી તેમાં ટિ ર કહીને અસ્વારસ્ય સૂચવ્યું છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. આ૪-૧ બાહ્યસમ્મદાના કારણે પરમાત્માનું મહત્ત્વ નથી, તો ક્યા રૂપથી તે મહત્ત્વ છે – આવી જિજ્ઞાસામાં જણાવાય છે स्वामिनो वचनं यत्तु संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद् यदभ्यधुः ॥४-२॥ “કુતર્કસ્વરૂપ અંધકારને દૂર કરવા સૂર્યના કિરણ જેવું ન્યાયસંગત અને સંવાદી એવું સ્વામીનું જે વચન છે, તે મહત્ત્વ છે. જેથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ ફરમાવ્યું છે કે” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. તેને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે શ્રી વીતરાગપરમાત્માનું સમર્થન (ફળસાધક) પ્રવૃત્તિને કરાવનારું, સંવાદી અને સ્વાદ્વાદમુદ્રાને અનુસારી એવું જે ન્યાયસદ્ગત વચન છે; તે સ્વરૂપ મહત્ત્વ છે. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક વચન સ્યાદ્વાદમુદ્રા
SR No.023209
Book TitleJin Mahatva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy