SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯). મૂકતો નથી. આ નિ વિધિ, મંત્ર તંત્ર અને વિધા આદિને ગાંઠતો નથી, તેમજ નિરોગી કે વ્યાધિવાળાને છેડતે પણ નથી, તો પછી શોક કરવાથી શું ફાયદો થવાને ? આ માનવજિંદગીમાં કઈ કઈ જાતનો શોક કરવો ? કેમકે વિધિએ આ સંસારને દુઃખના નિધાનરૂપ બનાવે છે. ડાભના અગ્ર ભાગ પર રહેલ જળબિંદુની માફક જીવિતવ્ય, બળ અને લાવણ્ય ચપળ છે. લક્ષ્મી તેનાથી પણ વિશેષ ચપળ છે, પણ તેમાં ધમ એક નિશ્ચળ છે. ધર્મમાં નમસ્કાર મહામંત્ર એ જ સારભૂત છે. તેના મહાન પ્રભાવથી જળ, અગ્નિ આદિ ઉપદ્રવ શાંત થાય છે. વળી સમગ્ર ઇષ્ટ મનેર સિદ્ધ થાય છે. જો તેમ ન હોય તો આવા રૌદ્રસમુદ્રમાં વિમળ પર્વત કયાંથી ? અને પવનની વિષમ પ્રેરણાથી મારા વહાણોનું આગમન પણ કયાંથી ! વળી આ ભિન્ન પોતવણિકની નિશાનીનું અકસ્માત મારી દષ્ટિગોચર થવાપણું પણ કયાંથી ? મારું તો એમજ માનવું છે કે બહેન ! આ તાર નમસ્કાર મહામંત્રના મરણનો જ પ્રભાવ છે. - સ્વજનને વિરહ ત્યાં સુધી જ દાહ કરે છે, દુઃખ ચિંતારૂપ ડાકિની ત્યાં સુધી જ છળે છે અને ભવસમુદ્રમાં આ છ ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી તેઓ આ મહામંત્રનું સ્મરણ કરતા નથી. ધર્મ બહેન ! તું તારા મનમાં જરા પણ ઉગ ન કરીશ. આજથી નિરંતરને માટે હું તારે નાનો ભાઈ છું એ તું ચોક્કસ ખાત્રીથી માનજે. હું સિંહલદ્વીપના રહેવાસી ચંદ્રશ્રેણીને સેમચંદ્ર નામને પુત્ર વ્યાપારી છું. સંસારની માફક આ વિષમ સમુદ્ર પણ જિનવચન સરખા પ્રહણ ઉપર બેસી મારી સહાયથી તું વિસ્તાર પામ. પિતાના સદર (ભાઈ) સરખા અને હિતકારી તે વણિક
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy