SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૧ ) રૂ૫ તરંગવાળી, મનની પવિત્રતા અને શિયલરૂ૫ કિનારાવાળી, સત્યતપ-ઈદ્રિયનિગ્રહ અને કરુણારૂપ ચાર પ્રવાહવાળી, આત્મારૂપ નદીમાં સ્નાન કરી, પાપરૂપ મળને ધોનારા-ઉપશમ, વિવેક અને સંવરરૂપ ત્રણ પવિત્ર કુડે બનાવી, જ્ઞાનરૂપ ઘી હેમ, ધ્યાનરૂ૫ અગ્નિ સળગાવી, ક્રોધ-માન-માયા-લોભ-કામ-રાગ અને દ્વેષરૂપ હેમવા લાયક પશુઓને હોમી ક્ષમારૂપ પુરેડષા(હવ્ય પદાર્થ)નું ભજન કરનારા બ્રહ્મચર્ય અને મહાવ્રતરૂપ પવિત્ર શાંતિ જળથી પાપપંકની શાંતિ કરનારા, સર્વ જીવને અભય આપનારા અને સ્વ–પરને તારનાર ઇત્યાદિઅનેક ગુણગણેથી ભરપૂર ગુરુઓ હોય છે. સદ્દધર્મ પિતાશ્રી ! દેવ અને ગુરુના ગુણોથી ધર્મ જુદે નથી, કેમકે ગુણ એ ગુણીને મૂકીને રહી શકતો નથી, તથાપિ વ્યવહારથી ભિન્નરૂપે પણ તે ધર્મ વીતરાગોએ બતાવ્યા છે. સર્વ જીવ પર દયા રાખવી. નિરંતર સત્ય બોલવું. ચોરી નહિ કરવી. મન, વચન, કાયાથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. પરિગ્રહ આરંભ ત્યાગ કરવો. મન, વચન, કાયાના યોગોને અશુદ્ધ વ્યાપારથી નિષેધ કરવો. નિર્લોભતા, ઈદ્રિયવિજય, કષાયત્યાગ અને શત્રુ મિત્ર પર સમભાવ રાખ, ઇત્યાદિરૂપ આ ધર્મ, મોક્ષ સુખરૂ૫ ફળને આપનાર છે. વિશેષ શું કહેવું જ્યાં વીતરાગ મહાન દેવ છે, આત્મરમણતા એ જ ધર્મ છે, અને મહાવ્રતધારી, ઉદાર, કૃપાળુ, નિત્ય બ્રહ્મચારી ગુરુઓ જ્યાં સહાયકારો છે, તેઓની મદદથી આત્મિક સુખ પ્રકટ થાય તેમાં કહેવું જ શાનું ? * પિતાશ્રી ! “ અમુક ગુણરૂપ પરાક્રમવાળા પતિની તારે માટે શોધ કરશું વિગેરે આપે જણાવ્યું, પણ તે વિષયસુખનું ફળ મેં પૂર્વ ભવને વિષે અનુભવ્યું છે, સંસારનું ફળ ભોગવ્યું છે. સ્વામીને સ્નેહ મેં જોયા છે. બસ ઘણું થઈ. પિતાજી! વિડ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy