SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯). જોઈએ. તારા અનવધિ સવવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ. દેવીને-શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું. દેવી ! મને આ ધર્મ પ્રાપ્ત થયું છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી, અર્થાત મને કોઈપણ પ્રકારની ઇચ્છા હવે થતી નથી, છતાં આ લોક અને પરલોકમાં હિતકારી સમ્યક્ત્વમાં તમે સ્થિર થાઓ એ જ મારી દઢ ઈચ્છા છે. - દેવીએ કહ્યુંધર્મશીલા ! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કોઈ પણ માંગે. શીલવતીએ કહ્યું. જે એમ જ છે તે તમે મને ધર્મકાર્યમાં મદદ કરજે. દેવીએ કહ્યું-જેને દેવો પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તો મારા જેવી અલ્પ સત્ત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે? - ધર્મશીલા! આ અગીયાર ગુટિકાઓ હું તમને આપું છું તે અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્રસંતતિ થશે, માટે તે ગુટિકાઓ -ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના બનેર પ્રમાણે ઉપકાર કરવા ઇચ્છા જણાવી. શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બીલકુલ ઈચ્છા પણ ન કરી અહા! કેટલું બધું આશ્ચર્ય ? કેટલો બધે સંતોષ ? ધર્મનો કે અદ્દભૂત મહિમા ? જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગીયાર વર્ષ પર્યત તપ કર્યો હતો, અનેક માનતા માની હતી, જેને માટે રાત્રી દિવસ તડફડતી સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મનોરથ પૂર્ણ કરવાને શરીરને પણ સુકાવી નાંખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઈચ્છતી પણ નથી. બલિહારી
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy