SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું ત્રીજું કિન્નરીને ઈતિહાસ–રાજા મહસેન છે. આટલું કતિ ઉપરથી જ આનાથ તે સુંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે ભાઈધનપાળ ! હું કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિનરીના પદને પામી છું. અને મોહથી મેહિત થઈ આ સંસારચકમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુઃખદ લાગતું હતું અને આનાથી અધિકપદ તે કોઈ પણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંયોગે છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સંગોનો લાભ તે લઈ શકી ન હતી તેને તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો. ધનપાળે પિતાની પત્નીને કહ્યું. એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મનુષ્ય જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારે વૃત્તાંત આગળ ચલાવે. - મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કે ધનપાળ ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત ભલય નામને રસાળ પ્રદેશ છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજ્ય કરતો હતો.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy