SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) આગળ વધવામાં તેમના વિચારોની પ્રબળતા હતી. સદ્દવિચારોની પ્રબળતાથી મનુષ્ય ઘણું ઝડપથી આગળ વધી શકે છે. આ ત્રણ ભેદ સિવાય બીજા પણ સમકિતના અનેક ભેદ છે. સમકિતને ત્યાગ કરતો હોય-સભ્યશ્રદ્ધાનથી ભ્રષ્ટ થતો હેય, તે અવસરે મીષ્ટ ભોજન કર્યા પછી તેનું વમન કરનાર મનુષ્યની માફક સહજ આનંદ થોડે વખત હોય તેને આસ્વાદાન સમકિત કહે છે. ક્ષયોપશમ સમક્તિ પૂર્ણ કરી ક્ષાયક સમિતિની પ્રાપ્તિ પહેલાના સમયે અર્થાત ક્ષપશમની છેલ્લી હદ છેલ્લા પુદ્ગલે વેદવારૂપ, તે વેદક સમકિત કહેવાય છે. તેમજ નિસર્ગચી, ઉપદેશરૂચી. અજ્ઞાનરૂચી, સત્રરૂચી, બીજરૂચી, અભિગમરૂચી, વિસ્તારરૂચી, ક્રિયારૂચી, સંક્ષેપરૂચી, ધર્મરૂચી, તથા રોચક, દીપક, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ ઇયાદિ-આ સર્વ ભેદ અપેક્ષાએ સમકિતના છે. તથાપિ તે સર્વને ભાવાર્થ, તનું શ્રદ્ધાન થવું, તેનાથી જુદો પડી શકતો નથી. ઉપાધિ ભેદથી તેના ભેદ કલ્પવામાં આવ્યા છે. જુદા જુદા રસ્તેથી પણ સત્ય શ્રદ્ધાન કે જ્ઞાન કરવું તે સર્વને મુખ્ય ઉદ્દેશ છે. આ શુદ્ધ શ્રદ્ધાનવાળા છ દેવલોકમાં જાય છે. કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ કાયમ ટકી રહે તે સાત આઠ ભાવથી વધારે વખત તે સંસારમાં રહેતો નથી. તેટલા વખતમાં નિર્વાણ પામે છે. વિષય કષાયની મંદતા અને અંતઃકરણની નિર્મળતા તે સમક્તિનું કારણ છે. આ નિર્મળતાને અટકાવનાર યા નિર્મળતાને નાશ. કરનાર મિયાત છે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy