SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) ઉપરથી મમત્વને ત્યાગ કરનાર અંતર્મુહૂર્તમાં ભવપાશથી મૂકાય છે. મારે પણ સર્વ પદાર્થ ઉપરથી મમત્વભાવ મૂકી દેવો જોઇએ. મને. કયાં કયાં કોના કોના ઉપર મમત્વ ભાવ છે? તે મારે શોધી કાઢવું. આમ નિર્ણય કરી તેની ગવેષણમાં તેમણે પ્રવેશ કર્યો. તપાસ કરતાં કરતાં પુત્રો ઉપર, કુટુંબ ઉપર, મહેલદિ ઉપર, શરીર ઉપર અને શુભાશુભ કર્મો ઉપર જ્યાં જ્યાં મમત્વ હતો, જ્યાં જ્યાં મારાપણું માનેલું હતું તે સર્વ ઉપરથી મમત્વ ભાવ અને મારાપણું વિવેક.. જ્ઞાનથી કાઢી નાખ્યું. મન વિશ્રાંતિ પામ્યું. અપૂર્વ આનંદ થશે. પરમશાંતિ અનુભવવાથી અમા કર્મચાથી હલકો થયો હોય તેમ જણાયું. આ. શાંતિને અખંડ પ્રવાહ આગળ લંબાય. શરીરનું ભાન છૂટી ગયું. પ્રભુ ઉપર તારક સ્નેહ પણ ગયો. છેવટે તન્મય ભાવ પામતાં. આત્મામાં લય પામ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી છૂટી ગઈ. પરમ સમાધિવાળી ક્ષપકશ્રેણિમાં કર્મનું ચૂરણ કરી યેયસ્વરૂપ થઈ રહ્યાં અર્થાત કેવળજ્ઞાન પામ્યાં. આયુષ્ય પણ સાથે જ પૂર્ણ થયું. હાથીના રધ ઉપર રહ્યાં છતાં જ નિર્વાણ પદ પામ્યાં. આ અવસર્પિણી કાળમાં મારુદેવાજી પ્રથમ સિદ્ધ થયાં. સમવસરણમાં રહેલા દેવો ત્યાં આવ્યા. તેમણે તેમના પવિત્ર દેહને ક્ષીર સમુદ્રમાં–જળશરણ (પ્રવાહિત) કર્યું. છાયા, આતપની માફક હર્ષ વિષાદ કરતે ભરતરાજા સમવસરણમાં આવ્યો. પ્રભુને વંદન કરી યોગ્ય સ્થાનકે બેઠે. પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ સંસાર અટવીમાં મહાન, અંધકારવાળી મેહ રાત્રી વ્યાપી રહી છે. તેમાં આ સર્વ જીવલેક અજ્ઞાન નિદ્રામાં મુદ્રિત થઈ ગયું (સુઈ ગયું) છે. તે અટવીમાં ચાર બાજુ. પ્રમાદરૂપ દાવાનળ સળગી ઉઠે છે. ક્રોધ, માન, માયા, લોભાદિ પ્રચંડ. વાયુ પુર જેસમાં ઝુંકાઈ રહ્યો છે. આ પ્રબળ વાયુથી વૃદ્ધિ પામતે પ્રમાદ અનિ, આ ગાઢ નિદ્રામાં ઘેરતાં છાનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy