SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮ ) ઘણા લાંખે વખતના સમાવેશ થાય છે) સુધી ટકી રહે છે. ઓછામાં આછા વખત અંત દૂત્ત જેટલા છે. આ સમ્યક્ત્વમાં પણ કષાયની મંદતા અને પરિમાણુની વિશુદ્ધતાની તેા જરૂર છે જ, છતાં ક્ષાયક કરતાં આમાં વિશુદ્ધતા એછી હોય છે. આ સમ્યક્ત્વની પરાકાષ્ઠા પછી ( છેલ્લી વિશુદ્ધિમાંથી ) ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટ થાય છે, આ સમ્યકૃત્વ અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. ઉપશમ સમ્યકત્વ પૂર્વે કહેલી માહનીય ક્રમની સાત પ્રકૃતિને (રાખથી ભારેલા અગ્નિતી માક) ઉપશમાવવી ( વ`માન કાળમાં અંતમુદ્ભૂત જેટલા વખતપર્યંત પ્રદેશથી કે વિપાકથી નહિં વેન્રી ) તેને ઉપશમ સમ્યકૂ કહે છે. પરમઉપશમ (શાંત યાને સ્થિર) ભાવમાં રહેતાં આ સમ્યકૃત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યકૃત્વ પ્રાપ્તિના ક્રમ એવા છે કે-અનંત કાળથી નાના પ્રકારની યે:નિએમાં પરિભ્રમણુ કરતાં ભવિતવ્યતાના નિયેાગથી કે ક પરિણતિના નિયેાગથી સ ંનિપંચે દ્રિયપણ મેળવી શકાય છે. જેમ પહાડ પરથી પડતી નદીમાં કેટલાએક મેડાળ પથ્થર, અથડાઈ પડાઇને ગોળાકાર બની જાય છે તેમજ શુભ પરિણતીના ચાગે આયુષ્ય સિવાયના સાતે કર્મની સ્થિતિ કાડાકાંડી સાગર।મની અંદર પડ્યે પમના અસંખ્યાતમે ભાગે ઓછી કરે છે. આટલી વિશુદ્ધિએ આગળ ચડતાં—આ ઠેકાણે તે જીવાને રાગદ્વેષની નિબિડગ્રંથી આગળ આવીને ઊભી રહે છે. આ ગ્રંથીને ભેધા સિવાય તેનાથી આગળ વધી શકાતું નથી. અર્થાત્ જે વિશુદ્ધિના જેરથી તેઓ અહીં સુધી-આ સ્થિતિ સુધી આવી પહોંચે છે. તેથી વિશેષ વિશુદ્ધિતી હવે તેમને આગળ વધવાંમાં જરૂર પડે છે. તે સિવાય તેએથી આગળ વધી શકાતું નથી. તે વિશુદ્ધિ એ જ કે રાગ, દ્વેષની ઓછાશ કરવી.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy