SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૪૦) 'હું જીવ ! રંગમડપમાં નૃત્ય કરનાર પાત્રની માફક, આ જીવ. પાત્ર નૃત્ય કરનાર ચૌદ રાજલેાકરૂપ રંગમ ડપમાં, રાજા, રંક, ધન, નિર્ધ્યન, સ્વામિ, સેવક ઈત્યાદિ વિવિધ પ્રકારનાં રૂપ ધારણુ કરી, કમ પરાધીન થઈ નૃત્ય કરી રહ્યો છે. આ જીવ એકલા જ જન્મે છે. મરે છે, સ્વકૃત કર્માનુસાર સુખ, દુ:ખના અનુભવ કરે છે. અને ધમ કરી પૂર્ણ સુખના અનુભવ પણ એકલા જ કરે છે. કે!ઈ કાઇનું ભલું કે મૂરૂં કરનાર તાત્ત્વિક રીતે પાતા સિવાય અન્ય કાઇ નથી. આત્મા ચૈતન્ય ગુણવાળા છે. શરીરાદિ પદાર્થોમાં તે ચૈતન્ય ગુણુ નથી પણ જડ સ્વભાવ છે. હું આત્મન્ ! જ્ઞાન, દનાદિ આત્મગુણ સિવાય જગતમાં બીજી તારું શું હોઈ શકે ? નવ દ્વારાથી મહાન દુર્ગંધી મળને પ્રવાહ વહન થઈ રહ્યો છે. રાગના ધરરૂપ આ દેહમાં પવિત્રતા તે શાની હોય ? બુદ્ધિમાન જીવ તેમાં રાગ કેમ કરે? ચીકાશ( સ્નેહ )વાળા પદાર્થ ઉપર અનેક રીતે ધૂળ ચાંટે છે. તેમજ મિથ્થાત, અવિરતિ, પ્રમાદ, કષાય અને યે ગાદિપ રાગ, દ્વેષની પરિણતિવાળા આશ્રવના કારણથી આ જીવ ઉપર ક`મેલ ચાંટે છે, તેથી સસારમાં પરિભ્રમણ થાય છે. હું જવ ! આ કુરૂપ આશ્રયે ન આવે તે માટે તારે બહુ સાવચેતી રાખવી જોઇએ. ધરનાં દ્વારા બંધ કર્યાં હોય અથવા વહાણુમાં પડેલા છિદ્રને બંધ કરવામાં આવ્યું હોય તેા તેમાં ધૂળ કે પાણી પ્રવેશ કરતું નથી. તેવી રીતે હું આત્મન્ ! કાર। અંધ કરવારૂપ સવરમાં તું તરી રહીશ તેા તારામાં પાપરૂપ ધૂળ કે પાણી પ્રવેશ નહિ કરે. અજ્ઞાનતાને આધીન રહી અનેક વષૅ સુધી દુઃખ વેઠી યા-કટ કરી આ જીવ કમ ખપાવે છે. તેટલાં જ ક આત્માપયેાગમાં જાગૃત રહેલા જ્ઞાની પુરૂષ એક ક્ષણુ માત્રમાં ખપાવી શકે છે, માટે હે વ ! તુ આત્મ ઉપયોગમાં જાગૃત થા. વિશુદ્ધ આત્મભાવમાં જ રમણુ કર.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy