SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૦) લકુલ પ્રહાર કર્યા સિવાય -પકડવાની આજ્ઞા કરી. રાજાના આદેશ થતાં અનેક શુરવીર બુદ્ધિમાન મનુષ્ય તેને પકડવા દોડ્યા. પણુ તેને પ્રહાર કર્યા સિવાય પકડવાની કાઈની હિમ્મત ચાલી નહિ. સ્વતંત્રપણે નગરમાં ક્રૂરતાં જે રૃખે તેને મારતા કે તાડતા અનેક અન કરવા લાગ્યા. તેટલામાં ગર્ભના ભારથી મપણે ચાલતી એક યુવાન બાળાને હાથીએ સુઢમાં પકડી. તે સ્ત્રી પાકાર -કરવા લાગી કે-હૈ તાત ! ભ્રાત ! રાજન ! આ દુષ્ટ હાથીથી મા રક્ષણ કરા. હા ! આ પૃથ્વી પર ક્રાઈ વીરપુરુષ નથી કે આ નિય હાથીથી મારૂં રક્ષણુ કરે. આ પ્રમાણે કરૂણુસ્વરે વિલાપ કરતી, ભયથી ત્રાસ પામતી, ભયભ્રાંત નેત્રવાળી અને મરજીના મુખમાં સપડાયેલી સ્ત્રીને દૂરથી રાજકુમાર નરવિક્રમે દીઠી. આ બાળાના વિલાપને કે દુ:ખને નહિં જોઇ શકતા રાજકુમાર તત્કાળ હાથીની આગળ આવી ઊભો રહ્યો અને હાથીને તર્જના કરી પાતા તરફ પ્રેર્યા. હાથી પાસેથી ખસી જવા નગરના ધણા લેાકાએ કુમારને સમજાવ્યો-પણુ વીર, દયાળુ કુમાર તે નહિં ગણુકારતાં, ઊંચા ઉછળી, સિદ્ધની માફક હાથીના મસ્તક પર જઇ ખેડા. અરે ! કાઈ અંકુશ લાવા—અંકુશ લાવે. એમ રાજકુમાર ખેલે છે તેટલામાં તે! સુંઢમાં ગ્રહણ કરેલી સ્ત્રીને હાથીએ મારી નાખવા માંડી. સ્ત્રીને છેડાવવાની દયાની લાગણીમાં રાજકુમાર પિતાની આજ્ઞા (માર્યાં સિવાય વશ કરવે) ભૂલી ગયા. પેાતાની પાસે રહેલી માટી છરી કાઢી, તે સ્ત્રીના બચાવ કરવા માટે હાથીનું કુંભસ્થળ ચીરી નાખ્યું. કુમારના પ્રહારથી તે ખળવાન હાથી પણ અચેતનની મા±ક ત્યાં જ ઊભા રહ્યો. તેના મસ્તકમાંથી, પર્વતમાંથી વહન થતાં ઝરણાની માક રુધિરને પ્રવાહ વહેવા લાગ્યા. શુદ્ધ હૃદયવાળા રાજકુમાર હાથી પરથી નીચેા ઉતર્યાં, અને સુઢા
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy