SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪) આ રાણીએ નમ્રતાથી ઉત્તર આપે. સ્વામીનાથ ! અત્યારે આપની પાસે આવવાનું મારું પ્રયોજન આપ શાંતિથી સાંભળશે, હું શાંતપણે સૂતી હતી તેવામાં મને એક સ્વમ આવ્યું છે. તે સ્વપ્નમાં સરલ, ઊંચો, કિંકણીઓના શબ્દવાળો, સર્વ જીવોને આનંદ આપનાર, મહામંગળકારી એક સુંદર ધ્વજ મારા જોવામાં આવ્યો છે. આ રવ આપને કહેવા આવી છું. આનું ફળ મને શું મળશે ? . આ સ્વપ્ન સાંભળતાં જ દેવીનાં વચનોને યાદ કરી, રાજા આનંદસમુદ્રમાં તરવા લાગ્યો, તેનાં રેમે રમે વિકસિત થયા. સુંદરી ! આ સ્વપ્નના પ્રભાવથી આપણું કુળમાં ધ્વજ સમાન ઉત્તમ પુત્રની પ્રાપ્તિ તમને થશે. તે પુત્ર મટી પૃથ્વીને માલીક થશે. રાજાના મુખથી આવાં ઇષ્ટ વચન સાંભળી હર્ષિત થઈ રાણીએ શુકનગ્રંથી બાંધી. અને પાછલી રાત્રી રાજાની પાસે જ આનંદમાં ગુજારી. . પ્રાતઃકાળ થતાં જ રાજાએ સ્વપ્ન પાઠકને બોલાવી સ્વપ્નફળ પૂછયું. તેઓએ પણ તે જ ફળ બતાવ્યું. રાણુને વિશેષ આનંદ થયો. તે જ દિવસથી ગર્ભને ધારણ કરતી રાણે સુખમાં દિવસે પસાર કરવા લાગી, ત્રીજે મહિને થતાં રાણુને ગર્ભના પ્રભાવથી પહેલા ઉત્પન્ન થયા. દેવનું પૂજન કરૂં, ગુરૂની ભક્તિ કરૂં, દાન આપું, છને અભય દાન અપાવું, દુઃખી જીવોને ઉદ્ધાર કરૂં. ધર્મશાસ્ત્રનું શ્રવણ કરૂં. ઇત્યાદિ રાજાએ મનોરથથી અધિક સામગ્રી મેળવાવી આપીસર્વ દેહલા પૂર્ણ કર્યા. સ્નેહી સ્વજનોના શુભ મનોરથ વચ્ચે રાણીએ પૂર્ણ દિવસે પુત્ર નો જન્મ આપે. હર્ષભેર દોડતી દાસીએ રાજાને પુત્રની વધામણ. આપી. પુત્રજન્મની વધાઈથી સંતોષ પામેલા રાજાએ દાસીનું દાસીપણું દૂર કરી નાખી ઈચ્છાધિક પારિતોષિક દાન આપ્યું. આખા શહેરમાં વધામણું કરાવ્યું. ઘેર ઘેર આમ્ર અને ચંદનનાં તારણે, બંધાયાં. પૂર્ણ કળશ દ્વાર આગળ મૂકાયા. પંચરંગી ધ્વજાઓ ફરકવા
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy