SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૨) રાજાએ, પ્રબળ પુત્ર-છાથી સહસા તે કામ માથે લીધું. કાળી ચૌદશની રાત્રીએ તે પાળી ભોગી સહિત રાજા ભયંકર સ્મશાનમાં દાખલ થયા. કપાળીએ એક મંડળ આલેખ્યું. સલ કરણાદિ વિધાન કરી, સ્થિર આસને બેસી મંત્ર જપ શરૂ કર્યો. રાજાને પિતાથી સે હાથ દૂર બેસવા ફરમાવ્યું અને બોલાવ્યા સિવાય પાસે ન આવવા આજ્ઞા કરી. રાજાએ તે પ્રમાણે તરત જ કર્યું. પણ ઉત્તરસાધકનું કામ તે પાસે જ જોઈએ છતાં મને આટલે દૂર બેસારવાનું કારણ શું ? એ શંકાથી સો હાથ દૂર ન બેસી રહેતાં રાજા યોગીની પાછળ આવી, યોગો શાને જાપ કરે છે તે સાંભળવા લાગ્યો. દુ રક્ષાદા નિ ”િ રાજાને મારૂં. રાજાનું બલિદાન આપું છું. વિગેરે શબ્દોને પાગીને જાપ કરતે જાણી, રાજાએ વિલંબ ન કરતાં તરત જ હુંકારવ કર્યો કે-અરે દુરાત્મા !તું મને મારવા ધારે છે ? હમણું જ તું સાવધાન થા. હવે હું તને છેડનાર નથી. તે શબ્દ સાંભળતાં જ ર ચિત્તવાળો કાળી કપાનળથી પ્રજવલિત થયે, યમની બીજી જિવા સમાન, જમણા હાથમાં ખગ લઈ રાજાને કહેવા લાગ્યો કે -અરે અધમ રાજા ! તું તારે મનુષ્યજન્મ સંભાળી લેજે. ઈત્યાદિ બેલતાં પ્રચંડ પરાક્રમવાળા બને જણ રૌદ્રપણે યુદ્ધ કરવા લાગ્યા. થોડા જ વખતમાં રાજાના પ્રબળ. પ્રહારથી જર્જરિત થઈ યોગી જમીન પર પડશે. એ અવસરે નેઉરના શબ્દોથી ઝણઝણાટ કરતી અને શરીરની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરતી એક દેવી રાજા પાસે પ્રગટ થઇ કહેવા લાગી. હું નરસિંહ રાજ ! ક્ષત્રિયના કુળને ક્ષય કરનાર આ ગીને-કંપાળીને તે માર્યો તે ઘણું સારું જ કર્યું છે. હું તારા પર તુષ્ટમાન થાઉં છું. મારા વરદાનથી તારે ઘેર એક પરાક્રમી પુત્રને
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy