SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૬) કરી ધર્મ માં નિશ્ચળ યા. તેથી તને મારા કહેવાની કાંધ પણ પ્રતીતિ થાય તે છી તને જેમ યાગ્ય લાગે તેમ આગળ ઉપર કરજે. ગુરુનાં શીતળ અને મધુર વચનાથી રાજાનું અંતઃકરણ વાસિત થયું. માહ તથા અજ્ઞાનનું આવરણ કાંઇક ભેદયું, ગુરુના વચન પર વિશ્વાસ રાખી, તત્કાળ મરવાનું બંધ રાખ્યું. ગુરૂના વચનામૃતનુ સ્મરણ કરતા રાજા શહેરની બહાર જ રહ્યો, પ્રાતઃકાળે રાજાએ રવમ. દીઠુ` કે કુળ આપવાને તૈયાર થએલી કલ્પવૃક્ષની એક શાખા મેં સહસા કાપી નાંખવાથી નીચી પડી. તે જ ક્ષાખા ફલિત થવાથી વિશેષ ગાબા ધારણ કરતી પાછી તે કલ્પવૃક્ષ સાથે જોડાઇ ગઇ. આ પ્રમાણે સ્વપ્ન દેખી પ્રાત:કાળે શ ંખરાજા જાગૃત થયા. સ્વપ્નનથી ષિત થયેલે રાજા વિચાર કરવા લાગ્યા કે ગુરુશ્રીએ કહ્યું હતું કે-પ્રિયાને લાભ થશે, તે વચનેની સાથે આ સ્વપ્નના ભાવાર્થ તદ્દન મળતા આવે છે. સ્વપ્નને અથ તદ્ન ખુલ્લેા છે, નિશ્ચે પુત્રસહિત રાણીને! સમાગમ મને થવા જ જોઈએ. રાજાએ તરત જ દત્તને માલાવી કહ્યું:—દત્ત ! જે વનમાં રાણીને સારથી મૂર્છા આવ્યા છે તે વનમાં જઈને તું રાષ્ટ્રની તપાસ કર રાજાના વચનથી દત્ત તરત જ તે વનમાં ગયા. એક તાપસી રાણીના વૃત્તાંત પૂછતાં તેણે સવ સમાચાર આપ્યા કે–દત્ત સીધા જ તાપસના આશ્રમે જઇ કુળપતિને મન્યેા. ત્યાંથી કુળપતિને સાથે. લઈ તાપસણીઓના આશ્રમમાં તે ગયા. ત્યાં પ્રધુમ્ન સહિત લક્ષ્મીની માફક પુત્ર સહિત રાણીને દીઠી. વ્રુત્તને જોતાં જ સહસ! રાણીના કંઠ રુંધાઇ ગયા, ઘણુંી મહે નતે કદને મોકળા મૂકી રાણીએ ઘણુા વખત પર્યંત રુદન કર્યું. ખરી વાત છે કે, સબધી સ્નેહી માણસને દેખી દુ:ખી થવાનું હૃદય વિશેષ દુઃખથી ઉભરાઇ આવે છે. દત્તે રાણીને ધીરજ આપી જ્ઞાંત કરી. રાષ્ટ્રીએ રુદન કરી તથા પોતાનું દુ:ખ કહી બતાવી હૃદય ખાલી કર્યું .
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy