SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) અને તે પરિભ્રમણુ દૂર કરવા માટે જ દેવ, ગુરુને વિનય અને તેમની પવિત્ર આજ્ઞા શિર પર ઉઠાવવાને તે નિરંતર પ્રયત્ન કરતા હતા. ધર્માંનાં સારભૂત રહસ્યાનું તે નિરંતર મનન કરતા હતા અને જ્ઞાનના પ્રકાશથી જેમ અને તેમ કામ, ઢાષાદિ અંધકારને હઠાવતા હતા. ટૂંકામાં કહીએ તે। આ ધનપાળે પોતાની નાની ઉંમરમાં અનેક ઉત્તમ ગુણા સપાદન કર્યાં હતા. પુત્રી ધનવતી સ્વભાવથી જ માયાળુ અને શાંત સ્વભાવની હતી. તેનું હૃદય પવિત્ર વિચારોથી રવચ્છ હતું. તેના મેાહક નેત્રા નિવિ કારી અને તેજસ્વી હતાં. તેના મુખની સૌમ્યતા ચંદ્રને પણ શરમાવતી હતી. તેની ગંભીરતા સમુદ્ર સાથે સરખાવાય તેવી હતી. સંતેષ મર્યાદા વિનાનેા હતેા. તેની ઉદારતા મોટા દાનેશ્વરીને પાછી હઠાવે તેવી હતી. ધમ તરફ્ તેની વિશેષ લાગણી હતી. તેમજ પેાતાના મેાટા ભાઇ તરફ તે વિશેષ સ્નેહભાવ રાખતી હતો. ધણા જ ભદ્રિક સ્વભાવવાળે, આત્મકલ્યાણુની પ્રબળ ઈચ્છાવાન્ અને ધર્મમાં વિશેષ રૂચિવાળા ધમ પાળ નામનેા ધનપાળને મિત્ર હતેા. મહાત્મા પુરુષોના આ તા સિંહનાદ છે કે यावत्स्वस्थामिदं कलेवरगृहं यावच्च दूरे जरा । यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः || आत्मश्रेयसि तावदेव महितः कायः प्रयत्नो महानादीप्ते भुवनेऽपि कूपखननं प्रत्युद्यमः कीदृशः || १ || જ્યાં સુધી આ શરીરરૂપ ગૃહ મજબૂત છે, જ્યાં સુધી જરા (વૃદ્ઘાવસ્થા ) દૂર છે, જ્યાં સુધી ઇંદ્રિયેાની શકિત અપ્રતિહત ( ખરાઅર કા` કરે) છે, અને જ્યાં સુધી આયુષ્યને ક્ષય થયા નથી ત્યાં સુધીમાં જ ઉત્તમ આત્મકોય માટે મહાન્ પ્રયત્ન કરી લેવા. ધરમાં
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy