SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૩) જણાવે. મેં કહ્યું હું શ`ખપુરથી આવુ` છું.... મારુ' નામ દત્તશ્રેણી છે.. દેવશાળપુર તરફ્ મારું ગમન થવાનુ છે. પરસ્પર વૃત્તાંત જણાવી એક સુખાસન પર બેસી અમે અને આગળ જતા હતા તેવામાં સન્મુખ આવતી ચતુરંગ સેના અમારા દેખવામાં આવી, તે દેખી સાથેના લેાકેા ક્ષેાભ પામ્યા. પણ તરતજ તે સૈન્યમાંથી એક બંદીવાન આગળ આવી, જયસેન કુમારને દેખી માલી ઊઠયેા. મહારાજા વિજયસેન અને રાજકુમાર જયસેનને ઘણો ખમા. જય-જય ઇત્યાદિ શબ્દો ઉપરથી સન્મુખ આવતા વિજયસેન રાજાને જાણી, મારી સાથે બેઠેલા કુમાર સુખાસનથી ઉતરી, સન્મુખ જઇ. શુજાને ભેટી પડયા, કુમારને દેખી સૈન્યમાં આનંદ વર્તાઇ રહ્યો. જયસેન કુમારે રાજાને જણુાવ્યું, પિતાજી ! આ દત્ત સાથેવાહે મને વિતદાન આપ્યું છે. મહારાજા ! આ ઉપરથી હું... સમજી કયા કે તે દેવશાળપુરના રાજા અને યુવરાજ પિતાપુત્ર હતા. પુત્ર ઉપરના ઉપકારને લઇ રાજા મારા ઉપર ધણા સંતુષ્ટ થયા. મને પેાતાના પુત્ર તરાકે માની, દેવશાળપુરમાં લઇ ગયા. તે રાજકુમારે મારુ' મન એટલું બધું સ્વાધીન કરી લીધું કે તેની સજ્જન-તાને લઈને માતા, પિતા કે સ્વદેશ વિગેરે કેટલાક દિવસપયત યાદ જ ન અવ્યું. અર્થાત્ પરદેશને સ્વદેશતુલ્ય માનવા લાગ્યા. ખરી વાત છે. : ते के मिलति महीयलमि लोयणमहूसवा मणुया । हिययाओ खर्णपि न ओसरंति जे टंक घडियाओ ॥ १ ॥ અહા ! નેત્રને મહાચ્છવ તુલ્ય કેટલાએક પુરૂષા પૃથ્વીતળ પર એવા મળી આવે છે કે-ટાંકણાંથી કારેલા અક્ષરાની માફક એક ક્ષણુ ભર પશુ હૃદયથી ભૂલાતા નથ). તે રાજાને શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, ઉત્તમ લક્ષણેાવાળા, તેજમાં તિલેાત્તમા સરખી, કળાના કલાપમાં પ્રતિષ્ઠા પામેલી, ઉત્તમ ચરિત્રથી મન હરનારી, જયસેન
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy