SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સંકેત પ્રમાણે તેના મિત્રોએ નવીન વાર્તા કહેવા માટે આગ્રહ કર્યો. આ વામણે નવીન કથા શું કહેશે ? તે તરફ કાન આપી કેટલેક દૂર આ ત્રણે સ્ત્રીઓ સાવધાન થઈ એકાગ્રતાથી સાંભળવા બેઠી. વામણુએ મંગલાચરણમાં જણાવ્યું કે-અને રાજાની સેવા કરવાને વખત થયું છે એટલે આ કથા લાંબો વખત નહિ ચાલે, પણ આંતરે આંતરે પૂરી થશે. આ પ્રમાણે કહીને કથા શરૂ કરી. ભારતવર્ષમાં તામ્રલિપ્તિ નગરી ઘણી સુંદર છે. ત્યાં રીષભદા. સાર્થવાહ વસે છે. તેને વીરભદ્ર નામનો પુત્ર છે. તેને સાગરદત્ત ચોકીની પુત્રી સાથે વિવાહ થયા હતા. એક દિવસે પોતાની પત્નીને ભરનિદ્રામાં છેડી તે દેશાંતરમાં ચાલ્યા ગયા. • આટલી કથા જણાવી વામણે કહ્યું-ભાઈહવે તે રાજાની પાસે જવાને વખત થયા છે, એમ કહી તે ઊઠયો. વામણાને ઉઠ જાણી શેઠની પુત્રી પ્રિયદર્શન સંભ્રમપૂર્વક ઉઠી, વામણુ પાસે આવી નમ્રતાથી કહેવા લાગી, “ વીરભદ્ર! ત્યાંથી ક્યા દેશાંતર ગયો ?” વામણો હું કુળને કલંકના ભયથી પરસ્ત્રી સાથે સંભાષણ કરતું નથી. પ્રિયદર્શના–હા. એમજ છે. તમારું ઉત્તમ શિયળ ઉત્તમ કુળ. ને સુચવે છે, તથાપિ મહાનુભાવ ! ઉત્તમ પુરૂ દાક્ષિણ્યતારહિત પણ લેતા નથી, માટે વીરભદ્ર સંબંધી કથા આગળ કહે.. વામણે તમારો વિશેષ આગ્રહ છે તે તે વિષે હું કાલે જણાવીશ. આ પ્રમાણે કહી, તે ત્યાંથી ચાલ્યો ગયે. સેવકોએ આ વાત રાજાને જણાવી. રાજા ઘણે ખુશી થયા. બીજે દિવસે કામણના ઉપાશ્રય પાસે પાછી કથા કહેવાની શરૂ કરી. વામણ-વીરભદ્ર પિતાના શહેરથી નીકળી ગુટિકાના પ્રયોગથી ૨યામ રૂપ કરી વેચછાએ ફરતાં સીહલદીપના રપુર શહેરમાં આવ્યો.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy