SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) રહી, શરીરે ઠીક થતાં કુલપતિએ પોતાના શિષ્યદ્વારા પદ્મતીખડ-(આ) શહેરમાં પહોંચાડી. શહેરના પરિસરમાં આવતાં સુત્રતા નામની સાધ્વીજી તેના દેખવામાં આવ્યા. વીરભદ્રે ચિત્રમાં તાવેલ સાધ્વીજીનુ સ્મરણ થતાં પોતાના ગુરુ જાણી તેણીએ વંદન કર્યુ" અને તેઓની સાથે તેમના પ્રતિશ્રયમાં (ઉપાશ્રયમાં) આવી. ત્યાં તમારો પુત્રી પ્રિયદર્શીનાને મેળાપ થયા. સાધ્વીના પૂછવાથી પેાતાના સવ વૃત્તાંત તેણીએ જણાવી આપ્યા. ત્યાર પછી અન ંગસુ'દરી અને પ્રિયદર્શના અને ક્રિયામાં તત્પર થઈ સુત્રતા સાધ્વીની સેવામાં દિવસેા પસાર કરવા લાગ્યા. આ બાજુ વીરભદ્રને પણ વહાણુ ભાંગ્યા પછી એક પાટિયું હાથ આવ્યું. તેના ઉપર ખેસી તરતાં, આકાશમાર્ગે ગમન કરતા રતિવલ્લભ નામના વિધાધરે તેને દીઠા. તેણે વીરભદ્રને સમુદ્રમાંથી ઉપાડી પેાતાના વિમાનમાં એસાચે. અને વૈતાઢય પહાડ ઉપર આવેલા ગગનવલ્લભ શહેરમાં પાતાના મંદિરે લઈ ગયા, તેના રૂપાદિ ગુણેાથી ચમત્કાર પામી, પેાતાની રત્નપ્રભા નામની કુંવરી સાથે હર્ષોંથી વિવાહ કરી આપી ત્યાં જ તેને રાખ્યા. વીરભદ્રે પેાતાના સસરા રતિવલ્લભને પૂછ્યું કે...મારી સ્ત્રી અનંગ સુંદરી વહાણુ ભાંગ્યાથી સમુદ્રમાં પડી હતી તે હાલ કર્યાં છે ? વિધાવરે પ્રજ્ઞપ્તિવિધાને પૂછીને જણાવ્યું કે, પદ્મિનીખ`ડ શહેરમાં તમારા સસરા શ્રેણીને ધેર છે. તે સાંભળી તેને સતાષ થયા. એક દિવસે આકાશમાર્ગે અનેક વિદ્યાધરીને જતાં દેખી પેાતાની પત્ની રત્નપ્રભાને પૂછ્યું કે-આ વિદ્યાધરા સર્વે કર્યાં જાય છે ? તેણીએ જણાયુ-પ્રિય । સિદ્દાયતનની યાત્રાથે આ સર્વે જાય છે. તે સાંભળી વીરભદ્રની પણ ઇચ્છા ત્યાં જવા થઈ. પતિની ઈચ્છાનુસાર રત્નપ્રભાએ વિમાન તૈયાર કરાવ્યું. તેમાં એસી પતિ વિદ્યાધરાની સાથે સિદ્ધાયતને ગયાં. ત્યાં શાશ્વત પ્રતિમાએને ભાવથી વંદન કર્યું. . એ... અવસરે તેના સસરા રતિવલ્લભ પણ યાત્રાથે ત્યાં આવ્યે.. પોતાની પુત્રી તથા જમાને પ્રભુદર્શન કરતા દેખી તેને ઘણા સંતેષ
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy