SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) જ્ઞાનદાન આપવાવાળા મહાત્મા પુરુષે, છનશાસનને ઉદ્ધાર કર્યો એમ કહી શકાય છે. તેઓના આત્મા સામાન્ય જીથી શ્રેષ્ઠ પદ પામે છે. દુનિયામાં તેઓની અમર કીર્તિ ફેલાય છે. જીનેશ્વરીએ જ્ઞાનને જનધર્મની મુખ્ય ધુરા સમાન ગણ્યું છે. સમ્યફ જ્ઞાનથી તત્ત્વને જાણી, બાર પ્રકારનાં પ્રબળ તપ વડે કર્મરાશીને ક્ષય કરી જી નિર્વાણપદ પામે છે. જેઓ તીર્થકરેએ કથન કરેલું જ્ઞાનદાન, કરૂણાબુદ્ધિથી જીવોને આપે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેઓને નમસ્કાર થાઓ. તેઓની નિર્મળ કીર્તિ દુનિયામાં ફેલાઈ છે અને તેઓને માનવ જન્મપણ કૃતાર્થ છે. કોઈપણ મનુષ્ય કુલ, રૂપ, બળ, કાંતિ અને ધનાદિથી રહિત હેય; છતાં સમ્યફ જ્ઞાનથી વિભૂષિત હોય તો તે આ દુનિયામાં સર્વ સ્થળે સદાને માટે પૂજાને લાયક છે. ધન વિનાને દાન કયાંથી આપે ? શરીરની શકિત સિવાયના છો તપશ્ચર્યા કેવી રીતે કરી શકે? માટે થોડું પણ ઘણું ફળ આપનાર જ્ઞાનદાન અવશ્ય આપવું. દશન અને ચારિત્રથી ભ્રષ્ટ થયેલા છો જ્ઞાનથી તે બન્નેને પાછે ઉદ્ધાર કરે છે; પણ જ્ઞાન વિનાને જીવ તે બને મેળવી શકતો નથી. માટે ધર્માથી છએ નિરંતર - જ્ઞાનનું દાન આપવું. જ્ઞાની પુરુષોને આશ્રય કરવો, અને સદા જ્ઞાનની ભક્તિ કરવી. વિશેષ શું કહેવું? જ્ઞાનદાનથી અનંગદત્તની માફક નિર્મળ કેવળજ્ઞાન પામી, મેક્ષસુખ પણ મેળવી શકાય છે. અનંગદત્ત - સુદર્શના-ગુરૂછ. અનંગદત કેણ હતું અને તેણે શાનદાન કેવી રીતે આપ્યું? વિજયકુમાર મુનિ-સુદર્શના! તે વૃતાંત હું તમને જણાવું છું
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy