SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ન કરી તિરસ્કારજનક આકારને ગોપવી વિજ્યકુમારે રાણીને જણાવ્યું. રાવળી! મને તમે હમણાં વિધા આપે. ભવિષ્યની મેટી આશાથી રત્નાવળીએ પિતાની પાસે જેટલી વિદ્યાઓ હતી તે સર્વ વિધિ સહિત વિજ્યકુમારને આપી. સર્વ વિધાઓ લીધા પછી વિજયકુમારે રત્નાવળીને જણાવ્યું. અમ્મા! આજ પર્યત મેં તમને અમ્મા (મા) પણે માન્યાં છે. પુત્રપણે બાલ્યાવસ્થાથી આજપર્યંત તમે મને ઉછેરેલો હોવાથી તમે મારી માતા છે. બીજી તરફ વિચાર કરું છું તો આપના પ્રસાદથી આ સર્વ વિધાઓ મેં જાણું છે. તો આજથી વિશેષ પ્રકારે તમે મારા ગુરૂશ્રીને સ્થાને છે. • છે. માતાજી! કદાચ આપના આ અસદ્દભાવને કે દુશ્ચરિત્રને મારા પિતાશ્રી જાણશે તે મહાન અનર્થ થશે, એટલે તેઓ ન જાણે તે પહેલાં જ આપ આ અધ્યવસાયથી વિરામ પામે-પાછાં હઠો. - વિજ્યકુમારને દઢ નિશ્ચય જાણું, પિતાને સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિલખી થયેલી રાણીએ પિતાને પાસે ઉલટાવ્યો. તિરસ્કારની દષ્ટિથી વિજયકુમાર સન્મુખ દેખી તેણીએ જણાવ્યું વિજ્યકુમાર: કામી મારી પાસે તેની નીચે પ્રાર્થના તું ન કર. કેમકે તું મારો પુત્ર છે. મેં તને પાળીને માટે કર્યો છે. અથવા તારો શું દોષ છે? જેવું કુળ તેવું જ મનુષ્યનું શીળ હોય છે. આ ન્યાયથી તું કોઈ અકુલીન દેખાય છે, નહિતર માતાની પાસે આવી વિષયની પ્રાર્થના કરેજ કોણ? રાણી રતાવળીનાં આ વચનોથી વિજ્યકુમારને મેટું કુતુહળ થયું. તે વિચારવા લાગ્યો અહા! કામમાં આસક્ત થયેલી માયાવી સ્ત્રીઓ એવું કોઈ અકાયું નથી કે તે ન કરે. લંપટ સ્ત્રીઓ ધનને નાશ કરે છે અને પિતાના પ્રિયતમ પતિને પણ મારી નાખે છે. પુત્રની પણ અભિલાષા કરે છે. અને અભક્ષનું પણ ભક્ષણ કરે છે.
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy