SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૦) કુમારને નાના પ્રકારની ક્રિડામાં તત્પર દેખી, રત્નાવળી રાણીના મા મંદિરમાં કામાગ્નિ સળગવા લાગ્યા. પુત્રપણે પાળીને મોટા કરેલા છે. છતાં, વિજયકુમારનું ઉદગ્ર સૌભાગ્ય અને લાવણ્યામૃતથી પરિપૂર્ણ ઉત્કટ તારૂણ્ય જોતાં રાણી તા સ` ભાન ભૂલી ગઇ. ખરી વાત છે કે, વિષયની અધિકતા તે અકુલીનતા માટે, શીયળની મલીનતા માટે, ચારિત્રની શીથિલતા માટે, સ્નેહી પતિના વિનયની મંદતા માટે, દુતિ નગરીના ૫થ માટે, સુગતિના વિરાધ માટે અને અવિવેકની ઉત્પત્તિ માટે થાય છે. વિજયકુમાર એકાંતવાસમાં બેઠા હતા, ત્યાં રત્નાવળી રાણી તેની પાસે આવી. લજ્જા અને મર્યાદાને મૂઠ્ઠી સરાગ વચને કરી તેણીએ જણાવ્યું . વિચક્ષણુ ! હું તારી પાસે કાંઇ પણ ખાલી જાણતી નથી, તથાપિ હૈ બુદ્ધિમાન્ ! સદ્ભાવવાળી પ્રેમની લાગણીથી હું તને કાંઈક કહેવા માગું છું. તેનું એકાગ્ર ચિત્તથી શ્રવણુ કર. વિચક્ષણ પુરૂષાનુ આ લક્ષણ છે કે, આત્મહિત આચરણ કરતાં મનુષ્યાના અપવાદથી તે ખીલકુલ ડરતા નથી. અસાર પદાથ માંથી પણ સાર ગ્રહણ કરે છે. કાઈની પ્રાર્થનાના ભ`ગ કરતા નથી. દાક્ષિણ્યતાના સમુદ્ર તુલ્ય હોય છે અને રવાને એક બાજુ મૂકી પરતું કાર્ય કરવામાં સ્વભાવથીજ તત્પર રહે છે. રાજકુમાર ! ભુવનમાં તિલક તુલ્ય આસુરમ્ય નગરીની દુ`બ રાજ્યલક્ષ્મીની સુખ સંપત્તિ તને પ્રાપ્ત થાય તેવી મારી ઈચ્છા છે. તે ઇચ્છા મારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી તને મળી શકે તેમ છે. મનુષ્યત્વના સાર એ છે કે, રાગરહિત સુંદર શરીરની પ્રાપ્તિ થવી, ધનને સાર એ છે કે, પેાતાના ભોગપભાગમાં તેને ઉપયાગ કરવા અને દાન આપવું. તેવી રીતે આ નવ યૌવનને સાર એ છે કે, પ્રિયતમ યાને વ્હાલા મનુષ્યના સયાગ થવે. . રાજકુમાર ! મારા કહેવાના પરમાથ તું સમજ્યા હાશ. છતાં
SR No.023203
Book TitleRajkumari Sudarshana Yane Samli Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Kesarvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy