SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કર 'હશે તે તે તેનુ' રક્ષણ કરી શકશે, પણ જો તે હકીકત અન્યને કહેશે તે તે તરતજ પથ્થર થઈ ભૂમિ ઉપર પડશે.” આ પ્રમાણેની યક્ષની મહા આશ્ચય તથા વિસ્મય ઉત્પન્ન કરે તેવી વાર્તા સાંભળીને મિત્રવત્સલ રત્નસાર મૌન રહ્યો, કાંઈ પણ તે આલ્યા નહિ, પ્રાતઃકાળ થતાં સવ સૈન્ય અને રાજપુત્ર પ્રાત કૃત્ય કરી ત્યાંથી આગળ ચાલ્યા. અવિરત અહર્નિશ પ્રયાણ કરતાં તે થાડા વખતમાં પેાતાના નગરની પાસે આવી પહેાંચ્યા. X પ્રકરણ ૭ મું. ચિત્રસેન ઉપર આપત્તિ. વસંતપુર નગરમાં તેમના આગમનની ખબર પડતાંજ વીરસેન રાજા તેમને મળવા તેમની સામે આવ્યા. પિતાને સામા આવેલ દેખીને ચિત્રસેન તરતજ અબ્ધ ઉપરથી ઉતરી ગયા, અને પિતાને પાયવંદન કર્યાં. પિતાના લાંબે સમયે મેળાપ થવાથી સ્નેહવત્સલ કુમારના નયનામાંથી હર્ષોંનાં અશ્રુ ઝરવા લાગ્યા. પિતાએ તે કુત્રિમ સ્નેહથી કુશળ સમાચાર પૂછ્યા, અને એક દુષ્ટ અશ્વ તેને બેસવા માટે આપ્યા. મ`ત્રીપુત્ર તે અધી હકીકત જાણતા હતા. તેણે ગુપ્ત રીતે નગરમાંથી પ્રથમથી સમાચાર મેળવી રાખ્યા હતા, તેથી કાઈ ન જાણે તેમ તેણે રાજા આપવાના હતા તેવા જ ખીજો અશ્વ મંગાવી રાખ્યા હતા,
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy