SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ કન્યા જે લાયક હોય તેવા કેઈ ઉત્તમ પુરૂષને આ પિતાની સુતા આપવાને તે વિચાર કરવા લાગ્યા. પુત્રીના અનેક ગુણે અને વિદ્યા તથા કળા વિગેરેથી રંજિત થયેલા પઘરથ રાજા જુદા જુદા સ્થળના યેગ્ય ઉંમ૨ના રાજપુત્રોના ચિત્રો આલેખાવીને રાજપુત્રીને દેખાડવા લાગ્યું. આ પ્રમાણે ઘણા રાજકુમારોનાં રૂપે પદ્માવતીને દેખાડયા, સેંકડે રાજપુત્રોનાં ગુણે તેની પાસે વર્ણવ્યાં, પરંતુ કેઈનાં રૂપ કે ગુણ રાજપુત્રીને પસંદ આવ્યા નહિ-કેઈન રૂપ કે ગુણેથી રાજપુત્રીનું મન આકર્ષાયું નહિ. આ પ્રમાણે થવાથી પુત્રીની આવી પ્રકૃતિથી રાજા ઘણે દુઃખી થયા, અને આખી રાજસભા અને આખે પરિવાર પણ ચિંતા યુક્ત થઈ ગયે. આ અવસરે શાંતિનાથ ભગવાનની યાત્રા કરવા માટે કંચનપુરમાં રહેનાર તે સાગર નામને સુતારપુત્ર પિતાની પત્ની અને મિત્રાદિના પરિવાર સહિત પદ્મપુર નગરમાં આવ્યો. શાંતિનાથ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને તે ભાવપૂજામાં અનેક જાતના તેત્રોવડે ભગવાનની સ્તવના કરતું હતું. તે વખતે સખીઓના પરિવારથી પરવારેલ રાજપુત્રી પદ્માવતી પણ તે મંદિરમાં આવી. પુરૂષ ઉપર રાજપુત્રીને દ્વેષ થયા હતે, તેથી તે જિનમંદિરમાંથી સર્વે પુરૂષને તેની સખીએએ દૂર કર્યા, અને ત્યાર પછી રાજપુત્રીએ મંદિરમાં પ્રવેશ કર્યો. બધા પુરૂષે રાજભયથી દૂર ચાલ્યા ગયા, પણ તે સાગર કુતૂહલવડે તે રાજપુત્રીને જેવા જિનમંદિરમાં એક સ્થળે
SR No.023202
Book TitleChitrasen Padmavati Charitra
Original Sutra AuthorN/A
AuthorRajvallabh
PublisherRajendrasuri Sahitya Prakashan Mandir
Publication Year1974
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy