SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર વીરમતી કહે છે કેઃ “હે વહ! તું નિશ્ચિત થા. ભયની શંકા ન કર. મારું કલાકૌશલ જે. આજે તારો પતિ તારા પ્રાસાદમાં જલદી આવશે. તે પછી તારે યુક્તિપૂર્વક તેને સુવડાવીને મારી પાસે તુરત આવવું. આ પ્રમાણે ગુણવલીને જણાવીને વીરમતી પોતાના આવાસે આવી. તે પછી ગુણાવલી પિતાના મનમાં વિચારે છે કેઃ મારી સાસુ મહાન ગુણરત્નનો ભંડાર દેખાય છે. ઘરે રહ્યા થકાં જ મારે યાત્રા થઈ વાર્તાની કળામાં અત્યંત કુશળ દેખાય છે. મને તેના વચનમાં વિશ્વાસ નથી. જે તેના વચન મુજબ આજે મારા પતિ જલ્દી આવશે તે વિશ્વાસ થશે. વીરમતીએ કરેલ દેવની આરાધનાથી ચંદ્રરાજાનું જલદી ઘેર આવવું આ તરફ વીરમતી પિતાના નિવાસે જઈને એકદમ એકાંતમાં વિદ્યા સાધવા લાગી. તેથી વિદ્યાના પ્રભાવથી તેના વચનથી બંધાયેલ દેવ પ્રત્યક્ષ થઈને કહે છે: “શા માટે મારી આરાધના કરી ?” વીરમતીએ કહ્યું કેઃ “કેઈ દેવતાનું આરાધન નિરર્થક ન કરે. તું આરાધનાનું નિમિત્ત આ પ્રમાણે જાણ. એવું કોઈ કપટ કર કે જેથી મારો પુત્ર રાજસભામાંથી સૂર્ય હોય તે વખતે પિતાના આવાસે આવે.”
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy