SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૪૩ ચંદ્રરાજાની સભામાં બૃહસ્પતિ સરખા છ ચે દનને જાણનારા શ્રેષ્ઠ પડિતા પરસ્પર વાદવિવાદ કરતાં લેાકેાના ચિત્તને આનંદ પમાડતા હતા. વીરમતીનું ગુણાવલીને સ્વાધીન કરવું હવે એક વખત વિવિધ આભરણા વડે શાભતી ગુણાવતી રાણી અમૃત સમાન સ્વાષ્ટિ ભાજનથી પેાતાના પ્રિયને જમાડીને, પેાતે પણ ભેાજન કરી હિષ ત ચિત્તવાળી પેાતાના પ્રાસાદના ગવાક્ષમાં બેઠી હતી, તે વખતે તેને દાસીવ એકબીજાની હરીકાઈથી તેની સેવા કરતા હતા. તે દાસીઓમાં કોઈક હાથમાં પોંખા લઈ વી જતી હતી, કાઈક તબેલ-મુખવાસ આપતી હતી, કોઇક અમૃતસમાન પાણીથી ભરેલ કળશ લઈ ઊભી હતી, કાઈક હાથમાં વિલેપન લઈ ઊભી હતી, કાઈક હાથમાં દણ લઈને ઊભી હતી. કોઇક કેસરયુક્ત જળ છાંટતી હતી, કાઈક વિકસિત દાડમ સરખા દાંતવાળી વિનાદવાર્તા વડે તેને હસાવતી હતી, કાઈક તેના કંઠમાં પંચવણુ ની પુષ્પમાળા પહેરાવતી હતી. આ પ્રમાણે દાસીએ અનેક પ્રકારે સેવા કરતી હતી તેથી ગુણાવલી રાણી પ્રફુલ્લ ચિત્તવાળી પ્રમાદને અનુભવતી કામદેવના વનની સંપત્તિની જેમ શાલતી હતી. તે વખતે દૂરથી વિવિધ વેશથી વિભૂષિત વીરમતીને આવતી જોઈ ને દાસીએ ગુણાવલીનેહપૂર્ણાંક કહેવા લાગી : “ હે સ્વામિની! જલ્દી ઊભાં થાએ. તમારાં સાસુ તમારી સાથે વાતચીત કરવા માટે આવતાં દેખાય છે.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy