SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૯૩ પિતે પૂર્વભાવમાં કરેલાં કર્મોના વિચિત્ર સ્વરૂપને જાણ -જેની તે પાંખ કાપી નાખી હતી તે કશી પક્ષિણએ વિરમતી થઈને પૂર્વભવના વૈરથી બંધાયેલી તેણે આ ભવમાં તને કૂકડો કરીને વિવિધ પ્રકારે દુઃખ આપ્યું. કરેલાં કર્મો જ્યારે ઉદયે આવે છે ત્યારે તે અવશ્ય જોગવવાં જ પડે. શક્તિશાળી પુરુષ પણ તેને અટકાવવા સમર્થ થતું નથી. તેમજ તિલકમંજરીના ભાવમાં સાધ્વીની ઉપર ચેરીનું કલંક આપવાથી પ્રેમલાલચ્છીને કનકધ્વજ થયેલા સાધ્વીના જીવે “આ કોઢ કરનારી છે” એ પ્રમાણે કલંકસહિત કરાઈ. અને “આ વિષકન્યા છે એ પ્રમાણે પ્રસિદ્ધિ પામી. પૂર્વજન્મમાં રૂપમતીની પાસે કોશી પક્ષિણના રક્ષકનું બળ નિષ્ફળ ગયું, તેમ વીરમતીની પાસે તેના વચનને અનુસરનારી ગુણાવલી ભર્તારના રક્ષણમાં અશક્તિમાન રેતી તેમજ વીરમતીએ કરેલા કૂકડા સ્વરૂપ તને જોતી અત્યંત દુઃખી થઈ. રૂપમતીના દાસીએ કેશીક્ષિણને મૃત્યકાળે નવકાર આપી નિર્ધામણા કરાવી તે નેહથી આ જન્મમાં શિવાળાએ કૂકડાને લાવીને પ્રેમલાલચ્છીને આપે તેણે પણ તેનું આત્માની જેમ રક્ષણ કર્યું. આ પ્રમાણે સુર-અસુર અને મનુષ્યએ જેમના ચરણકમળની સેવા કરી છે એવા પરમાત્માએ બતાવેલા પોતપિતાના પૂર્વભવના સ્વરૂપને સાંભળીને ચંદ્રરાજા વગેરે સર્વે પ્રતિબોધ પામ્યા.
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy