SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચતરાજ ચરિત્ર જિનમતની હેષિણી ને એ પહેલા તે તેણે ન જાણ્ય, જ્યારે તે જાણ્યું ત્યારે અતિચતુર એવી તે રૂપવતી નેહભંગના ભયથી જાણતા છતાં પણ મૌન રહી મંત્રીપુત્રીના ઘરે સાધ્વીઓ પ્રતિદિન આહાર નિમિત્તે આવે છે. ગુરુ શંક્તિમાં તત્પર એવી તે વંદન કરીને વિનય પૂર્વક તેઓને આહાર પાણી આપને કેટલાક પગલા તેની પાછળ જઈને પાછી આવે છે. - હવે એક વખત તેના ઘરે આવેલી રાજપુત્રી તેવા પ્રકારની ભક્તિમાં તત્પર મંત્રી પુત્રીને જોઈ, તીવ્ર રોષ પામી તેને પિતાની પાસે લાવીને કહે છે કે હે સખી! તું રોષ પામતી નહિ, હું સાચું કહું છું કે આ આર્યાએ લજજા વગરની મલીન દેહ અને વસવાળી, બકધ્યાન કરતી બીજા લેકોને ઠગે છે, આ ધૂતારીઓનું દર્શન અમાંગલિક છે, તેની સંગત સુખાવહ નથી, તેને ઘરમાં પ્રવેશ અશુભ કરનાર છે, એ મંત્રેલું ચૂર્ણ મસ્તકમાં નાખીને ભદ્રિકજનોને ઠગે છે, અસત્ય વાત કહીને લેકમાં કલેશ ઉપજાવે છે, સુખશાતા પૂછીને મીઠા વચન વડે લોકોને વશ કરે છે, “સેકડો ઉંદર મારીને બિલાડી પાટ ઉપર બેસે તેમ પેટ ભરવામાં અશકય એવી માથું મુંડાવીને આ આર્યા થઈ છે, મધુરપાન-ભેજનની લાલસાથી તને ભણાવવા માટે આવે છે, કુલ બાલિકાઓને તેઓની સેમત સારવાર પણ ઉચિત નથી. ક્કાને કોણ કુવામાં પડે છે. આ ચાર ભેગી થાય તે શહેર ઉજજડ કરે, જે યાત્રાની એળીઓ લઈ ઘરે ઘરે ક્ષમી ઈચ્છા મુજબ
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy