SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૩૨૯ વિમલાપુરીમાં મનુષ્ય થયે છે, અને અહીં આવવા છે છે, ફરીથી પણ તે મારી સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે, મનુષ્ય થવાથી ગર્વિષ્ઠ થયેલ તે મૂર્ખ ખરેખર પિતાની શક્તિને જાણતા નથી. તું આ હકીક્ત જાણતી હોવા છતાં પણ મારી આગળ છૂપાવતી કહેતી નથી. પરંતુ તું તારા ધણને કાગળ લખીને જણાવ કે- જે તમારે અહીં આવીને રાજ્યની ઈચ્છા ન કરવી” મેં કહેલી આ વાત કેદની આગળ તારે કહેવી નહિ. મારી સાથે માયાપ્રપંચ ન કરો. જો તું કપટ ભાવે વતીશ તો મારા જેવી બીજી કઈ દુષ્ટ નથી. એ - તારે ન ભૂલવું. વળી તારા સ્વામીએ કાંઈ પણ લેખ આદિ મે કહ્યું હોય તે પાણીમાં ફેંકી દેવું. હે ભેળી ! હમણાં જ હું વિમલાપુરી જવાને ઈચ્છું છું. તું એકલી અહીં સુખપૂર્વક રહે. હું તે મંદબુદ્ધિવાળાને સમજાવીને જલદી પાછી આવીશ.” ગુણાવલી કહે છે છે- કે માતા ! આવી કલિપત વાત કરવી આપને એગ્ય નથી. तुव मतप्पहावेण, जो हासी चरणाउहो । तुम्ह किव विणा सेो हि, नरत्त कह पावए ॥ ७२ ॥ તમારા મંત્રના પ્રભાવે તે કૂકડો થયેલ છે, તમારી કૃપા વિના તે મનુષ્યપણું કેમ પામે ? ૭૨ નજરે જોયા વિના હું તે સાચું માનતી નથી. બીજી વાત એ છે કે –
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy