SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર ૨૪૭ બહાર જાય છે, પરંતુ મને નિરંતર દુઃખ આપનારી સાસુ કેઈ ઠેકાણે જતી નથી. એ જીવે ત્યાં સુધી મારે સુખની આશા દુર્લભ છે. પહેલાં મેં એનું શું વિરુદ્ધ કર્યું છે કે જેથી મારા ધણીની કીર્તિ સાંભળી એને દુઃખ થાય છે.' આ પ્રમાણે તેનાં વચન સાંભળીને મંત્રી કહે છે – विसायं मा विहेज्जासु, सासु कोवेसु मा तुम । जओ रुद्दसहावा सा, नेव वीसासभायण ॥७६॥ कइकालं इमाबुड्ढा, जीविस्सइ दुरासया ? । रज्जाहिवो उ ते नाहो, धुवं होहिइ अग्गओ ॥७॥ अओ धम्म मई किच्या, कालनिग्गमणं कुग । सहियब्वं इम दुक्रवं, पज्जंते सुहदायगं ॥७८॥ તમે વિષાદ કરતા નહિ, સાસુને કેપ ન પમાડશે, કારણ કે તે શૈદ્ર સ્વભાવવાળી વિશ્વાસપાત્ર નથી. ૭૬ એ દુષ્ટ ચિત્તવાળી વૃદ્ધા કેટલે કાળ જીવશે ? આગળ તમારા ધણી નિચે રાજ્યના અધિપતિ થશે. ૭૭ આથી ધર્મમાં ચિત્ત જેને કાળ પસાર કરે, આ દુખને સહન કરશે તો તે સુખદાયક થશે. ૭૮ આ પ્રમાણે મંત્રીના વચનથી આશ્વાસન પામી તે ગુણાવલી કેટલીક શિખામણ આપીને મંત્રીને નટની પાસે મોકલે છે. તેની સાથે પિતાના પતિ માટે સુવર્ણ :
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy