SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચ`દ્રરાજ ચરિત્ર ૧૮૭ તે મેલી: ‘હૈ માતંગ ! હમણાં આ વૃત્તાંત કહેવુ અયુક્ત છે. જો રાજા પેાતે પૂછે તે વિસ્તારપૂર્વક સ કહુ.. પહેલાં તે પિતાએ મને પૂછ્યું નહિ, મારું વચન પણ સાંભળ્યુ નહિ. પરદેશીનાં વચનમાં પાતે વિમૂઢ થયા, તેથી વગવિચાર્યું. આ કામ મારા હૃદયને દુઃખ કરે છે. તે દૂર કરવાના ઉપાય હું જાણતી નથી. હમણાં તે સ્વસ્થ ચિત્તવાળા મારી વાત સાંભળે, તે સાચુંખાટુ જાણે. * માતંગ પ્રેમલાલચ્છીનું વચન સત્ય જાણીને ખીજા માતંગને તેને સેાંપીને સુબુદ્ધિમંત્રીની પાસે ગયે. તેને પ્રણામ કરીને કહ્યું કે, હું મંત્રીવર ! રાજકન્યા આપણા રાજાને કઇક કહેવા માગે છે. આ વાત રાજાની પાસે : જઈ ને જણાવે; જેથી તે તેની વાત સાંભળે. તમે તેમને સમજાવેા. પ્રેમલાલચ્છી વિષકન્યા નથી એ સત્ય જાણેા. તેથી અવિચારી કામ કરતા રાજાને તમે અટકાવા અન્યથા પરદેશીનાં વચન ઉપર વિશ્વાસ કરવાથી પછી તે ઘણા પસ્તાવા પામશે.’ મત્રી એકદમ ત્યાંથી ઊભા થઈને રાજાની પાસે જઈને કહે છે કે, ‘હે રાજન! કાપ દૂર કરો. કુમારીના મુખેથી વાત સાંભળેા. વગવિચાર્યે કરેલું કામ છેવટે દુ:ખદાયક થાય છે. આ વિષકન્યા નથી, તે પણ તેને પડદાની અ'દર બેસાડીને તેના મુખે વાત સાંભળે. ગુણરહિત હાય તેા પણ તે આપની જ પુત્રી છે. પછી ઠીક લાગે તેમ કરજો.’
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy