SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર - હિંસકમંત્રી કહે છે: “હે સ્વામીન! આ કનકવજકુમાર પાપકર્મના ઉદયથી કેટરોગથી વ્યાપ્ત થશે છે. આ વાત સર્વથા ન કહેવાય એવી છે. પૂર્વેપાર્જિત કર્મથી તેને વિવાહસંબંધ થશે. હમણાં તે કાર્ય ઉપાડવું તમારા હાથમાં છે. પ્રચંડ પવનના વેગથી સમુદ્રની મધ્યમાં ગયેલ વહાણને કાંઠે લાવવા માટે તમારી જેવા ચતુર નિયમકની અપેક્ષા કરાય છે. હમણાં સિંહલરાજની લાજ તમારે રાખવાની છે. તમારી મારફત સર્વ આશા સફળ કરવા અમે ઈચ્છીએ છીએ.' ચંદ્રરાજાએ કહ્યું કે, “જે રાજકુમાર કેઢિયે છે તેં પ્રથમ તમે વિવાહ શા માટે સ્વીકાર્યો ? વળી રાજકુમારી સાથે તમારે શું વેર છે કે કોઢિયા સાથે એ. કન્યાને તમે પરણાવવા ઈચ્છે છે? વળી તમે બધા ભેગા થઈને તેને જન્મ નિષ્ફળ કરવા શા માટે પ્રવૃત્ત થયા ? આવું પાપક પરમેશ્વર કઈ રીતે સહન કરશે ? આ મકરધ્વજ રાજાની પુત્રી પ્રેમલા લચ્છીને મારાથી કેમ પરણી શકાય ? મારી તેવા પ્રકારની ચેગ્યતા ક્યાંથી? તે છતાંય તેને પરણીને પછી તમને સેં! એ સર્વ અશકય જ છે.” સિંહલરાજ તેના કુશળતા ભરેલા વચન સાંભળીને પ્રસન્ન થશે. હિંસકમંત્રીને ચંદ્રરાજાએ પોતાને પરિચય આપ તે પછી ચંદ્રરાજાએ હિંસકમંત્રીને એકાંતમાં લઈ જઈને કહ્યું કે, “આ અયુક્ત વચન મને શા માટે
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy