SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર એમ હું જાણું છું. એમાં અહીં કેઈ શંકા નથી.” એમ કહીને ચંદ્રરાજાના હાથને ગ્રહણ કરે છે. ચંદ્રરાજા પ્રતિહારોને કહે છે : “અરે! તમે મને કેમ વળગે છે ? દૂર રહીને વાત કરે. રાત્રિના દેષથી શું ભ્રાંતિ પામ્યા છે? અવકાશમાં સૂતા હે તેમ દેખાય છે! જેથી તમેને ભ્રમ ઉત્પન્ન થયે છે. દુરાગ્રહને મૂકી ધો. આ જગતમાં ચંદ્ર સરખા આકારવાળા અનેક પુરુષે હોય છે. કો જાણકાર પોતાનું નામ છુપાવે. જે નિરર્થક અસત્ય બેલે તે દુષ્ટ છે. જે અહીં દરવાજામાં પ્રવેશ કરતા જકાત લાગતી હોય તે કહે, જેથી તે આપીને હું સુખપૂર્વક જાઉં. રાજાને કર આપવામાં કે દૂબળો થાય? તમને છેતરીને જવા હું ઈચ્છતા નથી. ફેગટ મને શા માટે અટકાવો છે ? તમારે જે કાંઈ લેવું હોય તે ઈચ્છા મુજબ લઈ લે. મારી માતા મારા વિચાગને સહન નહિ કરતી રાહ જુએ છે, કારણ કે અરણ્યમાં મારે ઘણે વખત પસાર થયો છે. - પ્રતિહાર કહે છે કે, “હે સ્વામીન ! તમારું નગર અહીંથી ૧૮૦૦ કેશ પ્રમાણ દૂર છે. રાહ જોતી તમારી માતા અહીં ક્યાંથી હોય? મારી આગળ કપટ વચન ન બોલે. મારા ઉપર કેપ ન કરે. તમારા જેવા પુરુષો જે અસત્ય બેલશે તે પૃથ્વી ભાર કેવી રીતે ઉપાડશે ? લોકમાં મેઘ કેમ વરસશે? અમે તો આપ જેવા રાજાએના સેવક છીએ. તેથી આપની સઘળી હકીકત અમે
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy